AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા 27 ફ્લેટ સીલ, ફ્લેટધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા

બિલ્ડર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ કંપનીમાંથી 3.25 કરોડની લોન લીધી છે, તેની સામે 3.83 કરોડ ભર્યા છે. અને હજી 2.44 કરોડ માંગે છે. જોકે આ પ્રશ્ન તેમનો છ્હે. તેઓની ફાયનાન્સ કંપની સાથે મિટિંગ છે. ચારથી પાંચ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવશે. હાલ અમે ફ્લેટ હોદ્દો માટે જમવાથી લઈને તમામ વ્યવસ્થા કરી છે.

Surat : બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા 27 ફ્લેટ સીલ, ફ્લેટધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા
બિલ્ડરે લોન ભરપાઈ ન કરતા ફ્લેટધારકો રસ્તા પર (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:27 AM
Share

Surat શહેરના લસકાણા ખાતે આવેલ પરમ રેસીડેન્સીના બિલ્ડરના(Builder ) પાપે ફ્લેટ ધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લોન (Loan )લીધા બાદ પેમેન્ટ ભરવામાં અખાડા કરતાં ખાનગી ફાઈસનાન્સ કંપની દ્વારા પ્રોજેક્ટના 27 ફ્લેટને સીલ મારી દેવામાં આવ્યા છે. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરતાં પરિવારોની હાલત દયનીય થવા પામી છે. ચોધાર આંસુએ રડતી મહિલાઓ દ્વારા બિલ્ડર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ વ્યક્ત કરવાની સાથે બેઘર થવા માટે બિલ્ડર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાણામાં પરમ રેસીડેન્સીના બિલ્ડર દ્વારા જે તે સમયે પ્રોજેક્ટ પર મસમોટી લોન લેવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લેટ હોલ્ડરોને કબ્જો પણ સુપરત કરી દેવામાં આવ્યો હતો. અલબત્ત, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન સમયસર ભરપાઈ ન કરવામાં આવતાં આજે સવારે પ્રોજેક્ટ પર ફાઈનાન્સ કરનાર રેલીગેર હોમ લોમ્સ નામની સંસ્થા દ્વારા સાગમટે 27 ફ્લેટોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરી રહેલા પરિવારજનોએ રાતોરાત બેઘર થવાનો વારો આવ્યો હતો.

ફ્લેટ ધારકો દ્વારા આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન ન ભરપાઈ કરતાં બેંક દ્વારા અમારા ફ્લેટોને સીલ મારવામાં આવ્યું છે. જેને પગલે બિલ્ડર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ ફ્લેટ હોલ્ડરો ખુદ હજી મકાનના હપ્તા ભરી રહ્યા છે ત્યારે બિલ્ડર દ્વારા નિશ્ચિતપણે કોઈ કાવતરૂં રચીને આ પ્રોજેક્ટ પર લોન લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ ફ્લેટ હોલ્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો.

જોકે બીજી તરફ બિલ્ડર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ કંપનીમાંથી 3.25 કરોડની લોન લીધી છે, તેની સામે 3.83 કરોડ ભર્યા છે. અને હજી 2.44 કરોડ માંગે છે. જોકે આ પ્રશ્ન તેમનો છ્હે. તેઓની ફાયનાન્સ કંપની સાથે મિટિંગ છે. ચારથી પાંચ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવશે. હાલ અમે ફ્લેટ હોદ્દો માટે જમવાથી લઈને તમામ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">