સુરત બન્યું કોરોના મુક્ત, 23 મહિના બાદ શહેરમાં એક પણ કેસ કે મોત નહીં

સુરત શહેરમાં 12થી 15 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

સુરત બન્યું કોરોના મુક્ત, 23 મહિના બાદ શહેરમાં એક પણ કેસ કે મોત નહીં
Surat became Corona free: not a single case, not a single death in the city after 23 months(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:04 AM

છેલ્લે 9 એપ્રિલ 2020 માં શૂન્ય કેસ (Corona ) નોંધાયા હતા ત્યારે હવે બુધવારે સુરત શહેરમાં અંદાજે 23 મહિના બાદ કોવિડનો એકપણ પોઝિટિવ (Positive ) કેસ નોંધાયો નથી . કોવિડના પ્રથમ તબક્કાની શરૂઆત બાદ છેલ્લે 9 એપ્રિલ 2020 ના રોજ શહેરમાં એકપણ કેસ નોંધાયો ન હતો . ત્યારબાદ 16 માર્ચ 2022 સુધી તમામ દિવસે શહેરમાં એક કે તેનાથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે .

બુધવારે અંદાજે 23 માસ બાદ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી . એક રીતે કહીએ તો સુરત આજની તારીખે સંપૂર્ણ કોરોના મુક્ત થઈ ગયું છે .કોરોનાની ત્રીજી લહેર દરમિયાન જાન્યુઆરી માસમાં રોકેટ ગતિએ વધેલા પોઝિટિવ કેસો બાદ 15 ફેબ્રુઆરીના પ્રારંભ સાથે સતત પોઝિટિવ કેસોમાં ડાઉન ટ્રેન્ડ શરૂ થયો હતો .

સુરત મનપા દ્વારા 1 લી માર્ચથી કન્ટ્રોલરૂમ , ધનવંતરી રથ , સર્વેલન્સની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી . તંત્ર- આરોગ્ય વિભાગ પણ હવે કોવિડની કામગીરીમાંથી ધ્યાન ડાયવર્ટ કરીને ફકત ૫૨ હેલ્થ સેન્ટરો પર જ વેક્સિન અને કોવિડ ટેસ્ટની કામગીરી કામગીરીમાં જોતરાયું યથાવત રાખવામાં આવી છે . છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં નોંધાતી હતી . બુધવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . જે શહેર અને તંત્ર ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

23 મહિના પછી એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધવાની સાથે એક પણ મૃત્યુ પણ નોંધાયું નથી. આ સાથે જ શહેર કોરોના મુક્ત બન્યું છે. તો બીજી તરફ વેક્સિનેશન તરફ પણ સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તબક્કાવાર અલગ અલગ ઉંમર ધરાવતા લોકો બાદ હવે ગઈકાલથી 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ 13 હજાર કરતા વધુ બાળકોને પહેલા જ દિવસે આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા. હૈદ્રાબાદથી સુરત ખાતે 26મી ફેબ્રુઆરીના રોજ પહોંચેલા આ જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે તબક્કાવાર બાળકોના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરમાં 12થી 15 વર્ષના 1.95 લાખ બાળકો

હાલ સુરત શહેરમાં 12થી 15 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

આ પણ વાંચો :

Surat : હાય રે બલિહારી ! શ્રમજીવી પરિવારે હોળી માટે જમા કરેલા રોકડા અને નવા કપડાં આગમાં બળીને ખાખ

Surat : વાતાવરણ બદલાતા જ શહેરમાં ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના દર્દીઓ વધ્યા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">