AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: માનહાનિ કેસમાં રાહુલ ગાંધી 3જી એપ્રિલે દિલ્હીથી નિષ્ણાત વકીલોની ફોજ સાથે આવશે સુરત, સેશન્સ કોર્ટમાં કેસને પડકારશે

Surat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં રાહુલ ગાંધી આવતીકાલે એટલે સોમવારે સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે સુરત આવશે.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 02, 2023 | 7:46 PM
Share

લોકસભા 2019ના સામાન્ય ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટક સામે આપેલા વિવાદી નિવેદનને સુરતની નામદાર કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ કોર્ટ દ્વારા જામીન પણ મળી ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી હાઈકોર્ટ નહિ જાય. જો કે સુરતની સેશન્સ કોર્ટમાં જ માનહાનીના નિર્ણયને પડકારશે. આ વખતે રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્હીના નિષ્ણાંત વકીલોની ટીમ સંભાળશે. 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે સુરતમાં ધામા નાખ્યા છે.

શું હતો માનહાનીનો કેસ?

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે કરેલા નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો જેમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ જામીન માટે અપીલ કરી હતી તેમા તેને ટૂંક સમયમાં જામીન મળી ગયા હતા. સજાના 24 કલાકમાં સંસદ સભ્ય રદ થઈ ગયું હતું. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થતા સમગ્ર દેશમાં કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: રહી રહીને જાગી કોંગ્રેસ ! રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, રાજ્યભરમાં ગજવશે 300 જાહેરસભા, જાણો ગુજરાત કોંગ્રેસનો મોટો પ્લાન

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સુરતમાં ધામા

માનહાનિના કેસમાં આવતીકાલે 3 એપ્રિલે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. જેના પગલે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સુરત આવી રહ્યા છે. જેમા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હસમુખ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. આ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સુરત આવશે.

રાહુલ ગાંધીનું સાંસદ પદ કયા અધિનિયમ હેઠળ રદ થયુ ?

રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ હતુ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હતી, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">