AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા

સુરતમાં ૨૪ કલાકમાં 2 હત્યાની ઘટના બની છે, હજુ તો ગઈ કાલે જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના રાંદેરમાં સામે આવી છે

Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા
સુરતના રાંદેરમાં જૂની અદાવતમાં રવિ નામના યુવાનની હત્યા (File photo)
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:29 PM
Share

સુરત (Surat) માં સતત ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ ગઈકાલના સમયે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કુટુંબી કાકાની હત્યાના બનાવની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો રાંદેર વિસ્તારના વધુ એક ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયા નજીક સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા રવિ નામના યુવકની 6 મહિના પહેલા થયેલા ઝઘડાની અંગત અદાવતમાં તેના મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી મોડી રાત્રે હત્યા (murder ) કરી દેતા ચકચાર મચી ગઈ હતી.

યુવક ઘરેથી દસ મિનિટનું કહીને નિકળ્યા બાદ વીસ મિનિટ બાદ તેના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. પિતાના અવસાન બાદ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રવિ નામના યુવાની હત્યા થતા પરિવારમાં શોકમાં છે.

સુરત પોલીસ ગુનાખોરી ડામવાની મોટી મોટી વાર્તાઓ જે પ્રકારે કરી રહી છે તેની સામે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં 2 હત્યાની ઘટના બની છે. હજુ તો ગત રોજ ના દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી (Home Minister Harsh Sanghvi) ના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતા રવિ નામના યુવકે તેના પિતાની મૃત્યુ બાદ પરિવારની જવાબદારી ઉપાડી હતી પણ હત્યા થતા પરિવાર નોધારો થઈ ગયો છે. પોતાના કામ પરથી આવ્યા બાદ વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે ત્રણ મહિના પહેલા અક્ષય નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો ત્યારે અક્ષય લોખંડના સળીયા વડે રવિને ઢોર માર માર્યો હતો.

આ ઝઘડાની અદાવત રાખીને ગત રાત્રે અક્ષયે રવિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઇને રવિનુ કરુણ મોત નીપજયું હતું. આમ દસ મિનિટનું કહીને ઘરેથી નીકળેલા રવિના 30 મિનિટ બાદ મોતના સમાચાર તેના ઘરે આવતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મોટો દીકરો અને પરિવારની જવાબદારી નિભાવતા રવિની હત્યા થવાના પગલે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું હતું.

જોકે આ હત્યાની જાણકારી મળતાં જ સુરત રાંદેર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રવિની હત્યા કરનાર અક્ષયની અટકાયત કરી લીધી હતી અને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

આ પણ વાંચોઃ Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">