Surat : મહિલા તબીબે 201 નાળીયેરમાંથી આકાર આપ્યા શ્રી ગણેશજીને

માત્ર પાંચ દિવસની મહેનત બાદ આ ગણેશની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. મહિલા તબીબે ઉમેર્યું હતું કે આ કોરોનાકાળમાં ગણેશજી મુક્તિ આપે તેવી પ્રાર્થના તેમની પાસે કરવામાં આવશે.

Surat : મહિલા તબીબે 201 નાળીયેરમાંથી આકાર આપ્યા શ્રી ગણેશજીને
Surat: A doctor shaped Shri Ganeshji out of 201 coconuts
Follow Us:
| Updated on: Sep 11, 2021 | 8:30 AM

શુક્રવારે શહેર સહીત દેશભરમાં ગણેશોત્સવનો ભારે રંગેચંગે પ્રારંભ થયો છે. ગત વર્ષે કોરોનાના કારણે બાપ્પાની આગતા સ્વાગતા યોગ્ય રીતે ન કરી શકનાર ગણેશ ભક્તોનો આ વર્ષે ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે શેરી મહોલ્લામાં હવે જયારે શ્રીજીની સ્થાપના થઇ ચુકી છે. ત્યારે અનેક ભક્તોએ અનોખી રીતે ગણેશજી સ્થાપના કરી છે.  કેટલાક ભક્તોએ માટીની તો કેટલાક ભક્તોએ થીમ બેઇઝડ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી છે.

સુરતની એક મહિલા તબીબે 201 નાળીયેરમાંથી બનેલી ગણેશજીની આકર્ષક પ્રતિમાની સ્થાપના કરી છે. 201 નાળીયેરમાંથી બનેલા આ ગણપતિની ખુબ આકર્ષક દેખાય છે. પ્રતિમામાં દરેક નાળિયેર પર દેવી દેવતાની તસ્વીર કંડારવામાં આવી છે. સુરતની મહિલા તબીબ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાને પ્રસ્થાપિત કરવામાં આવે છે. તેમાં આ વર્ષે સૂકા નાળીયેરમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે અને સુરતના એક મોલમાં તેને મુકવામાં આવી છે.

તેમનું કહેવું હતું કે ગણેશજીની સ્થાપના કર્યા પછી પણ તે ઉપયોગી થઇ શકે તેના માટે તેઓએ નાળીયેરથી આ પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને તેઓએ 201 નાળિયેર પર દેવી દેવતાઓને કંડારીને બાપ્પાને આકાર આપ્યો છે. માત્ર ગણપતિ જ નહીં તેમની સાથે બીજા 201 હિન્દૂ દેવી દેવતાઓની પણ પૂજા થાય તેવા હેતુ સાથે નાળિયેરી પર દેવી દેવતાઓના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મોલમાં ભક્તોના દર્શન માટે મુકવામાં આવેલી આ પ્રતિમાને મોલમાં ફરવા માટે આવતા લોકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે આ પ્રતિમાને જોઈને તેઓ પર્યાવરણ જાળવણીનો પણ એક સંદેશો લઇ રહ્યા છે. અનોખી અને ઇકો ફ્રેન્ડલી રીતે પણ બાપ્પાની પૂજા કરી શકાય છે તેવું આ મૂર્તિને જોઈને ભક્તોને લાગી રહ્યું છે.

માત્ર પાંચ દિવસની મહેનત બાદ આ ગણેશની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. મહિલા તબીબે ઉમેર્યું હતું કે આ કોરોનાકાળમાં ગણેશજી મુક્તિ આપે તેવી પ્રાર્થના તેમની પાસે કરવામાં આવશે. ગણપતિની દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ મૂર્તિમાંના દરેક નાળિયેરને પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : Surat: વીવનીટ એક્ઝિબિશનમાં 3 કિલો સોના ચાંદીની જરીથી બનેલી લહેંગા ચોળી પ્રદર્શનમાં મુકાશે, જાણો તેની કિંમત

આ પણ વાંચો : Surat : શહેરની 36 ટકા જેટલી વસ્તી Fully Vaccinated, 87 ટકા વસ્તીને મળ્યો છે વેક્સિનનો પહેલો ડોઝ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">