Surat : લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારને 20 વર્ષની સજા

આરોપીએ(Accused ) જે ગુનો કર્યો છે તે જોતાં તેની સજા ઓછી કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત સ્વીકારતી નથી. જો આવા આરોપીઓ સામે દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે.

Surat : લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારને 20 વર્ષની સજા
Surat District Court (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 9:55 AM

સગીરાને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવીને જુદા જુદા સ્થળે લઈ જઈને બળાત્કાર ગુજારનાર આરોપીને, 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે, ગત તા. 8 એપ્રિલ 2021ના રોજ સુરતના (Surat ) એક વિસ્તારમાં રહેતી 14 વર્ષિય સગીરાને (Minor ) મુળ ભાવનગરનો વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતો કરણ વીરજીભાઇ ડાભીએ પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. કરણે સગીરાને લગ્ન માટેની લાલચ આપીને ફોસલાવીને લકઝરી બસમાં ચોટીલા લઇ ગયો હતો. તે બાદમાં કરણે સગીરાની સાથે બસમાં જ બળાત્કાર કર્યો હતો, અને પછી ચોટીલાની હોટેલમાં રહીને ત્યાં પણ સગીરા પર રેપ કરવામાં આવ્યો હતો. તે બાદમાં કરણે સગીરાને તરછોડી દીધી હતી અને લગ્ન કર્યા ન હતા. આ બાબતે સગીરાએ કરણની વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કરણની ધરપકડ કરીને જેલને હવાલે કર્યો હતો. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલ બાદ કરણને પોક્સો એક્ટ મુજબ તકસીરવાર ઠેરવીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, લગ્નની લાલચ આપી, લલચાવીને અપહરણ કરી જઈ તેને સ્લીપર લક્ઝરી બસમાં બેસાડી ચોટીલા લઈ જઈ, એક હોટલમાં રોકાઈ તેણે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.

સમાજમાં બાળકીઓ પણ સુરક્ષિત જીવન પસાર કરે તેવા સમાજનું નિર્માણ કરવું જરૂયી છે. અને હાલના કપરા સંજોગોમાં તે સૌથી વધારે અગત્યનું છે. સગીર બાળકો સાથેના આવા હીન પ્રકારના કૃત્યો વધી રહ્યા છે. સમાજમાં બાળકીઓ પર આવા ગુના બનતા અટકે તે હેતુથી પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આરોપીએ જે ગુનો કર્યો છે તે જોતાં તેની ઓછી સજા કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત સ્વીકારતી નથી. જો આવા આરોપીઓ સામે દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે. તેમજ આ કેસમાં બાળકી સાથે બળાત્કાર થયો છે, જેથી છોકરી અને તેના પરિવારજનોને માનસિક આઘાત પહોંચ્યો છે. આવા પ્રકારના ગુનાથી બાળકીને આજીવન માનસિક યાતનાનો સામનો કરવો પડે છે. તેથી આરોપીને કડક સજા થવી જરૂરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">