AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લિંબાયતમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઇસમને 20 વર્ષની સજા ફટકારાઇ

Surat News: લિંબાયતની 15 વર્ષીય સગીરાને 23 વર્ષીય આરોપી મુઝફ્ફર શેખે ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં રેપ ગુજાર્યો હતો. દીકરી ઘરે ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા.

Surat : લિંબાયતમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઇસમને 20 વર્ષની સજા ફટકારાઇ
દુષ્કર્મ આચરનારને સજા
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 05, 2023 | 11:43 AM
Share

આરોપી તેમજ પીડિતા મુસ્લિમ પક્ષના હોવાથી પર્સનલ લો મુજબ છોકરી 15 વર્ષની થાય એટલે તે પોતાની મરજીથી લગ્ન કરી શકે છેઃ બચાવ પક્ષની દલીલ 2 વર્ષ અગાઉ  સુરતના લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર લગ્નનની લાલચે બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો હતો. આરોપીએ પીડિતાને લગ્નની લાલચે ભગાવી જઇ ભૂસાવલ જતી વખતે બસમાં બળાત્કાર ગુજાર્યો હતો.

સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. જ્યારે બચાવ પક્ષે દલીલ કરાઇ હતી કે પીડિતા અને આરોપી બંને મુસ્લિમ જાતિના પક્ષકાર છે અને મુસ્લિમ પર્સનલ લો મુજબ છોકરી 15 વર્ષની ઉપરની થાય અને માસિક ધર્મમાં આવતી હોય ત્યારથી પિતાની સંમતિ વગર પણ લગ્ન કરી શકે છે. કોર્ટે નોંધ્યુ હતુ કે પુરાવાઓ જોતા ભોગ બનનાર અને આરોપીએ મુસ્લિમ લો મુજબ નિકાહ કરેલા હોય તેવા પુરાવાઓ રેકર્ડ પર નથી.

લિંબાયતની 15 વર્ષીય સગીરાને 23 વર્ષીય આરોપી મુઝફ્ફર શેખે ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. દીકરી ઘરે ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા. આરોપી સામેની ન્યાયિક કાર્યવાહી બાદ કોર્ટે સજાનો હકમ કર્યો હતો.

કોર્ટે ચુકાદામા નોંધ્યુ હતુક કે પોક્સો એક્ટની કલમ 2 (ડી) મુજબ ચાઇલ્ડ શબ્દની વ્યાખ્યા18 વર્ષથી નીચેની વ્યક્તિ એટલે કે તમામ વ્યકિતને અને તમામ કોમ્યુનિટીને આ કાયદો લાગુ પડે છે. તેથી બચાવપક્ષની આ દલીલ સ્વીકારવાપાત્ર નથી.

સુરત ઉધનામાં સાત વર્ષની બાળકીને અશ્લિલ વીડિયો બતાવી પાછળના ભાગે હાથ ફેરવનારા આરોપી શાબીર શેખને કોર્ટે ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. દીકરીની માતા સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં ગઇ હોય, પિતા નોકરીએ હોય અને દાદા સૂઇ રહ્યા હોય ત્યારે ઘરમાં ગેસના કામ માટે આવેલા આરોપીએ આ હરકત કરી હતી. સમગ્ર કેસમાં પીએસઆઇ અનિતાબા કનકસિંહ જાડેજાની તપાસમાં ગંભીર બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">