AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart City Surat: સ્માર્ટ સીટી કોન્ફરન્સ આ વર્ષે સુરતમાં યોજાશે, દેશના 100 સ્માર્ટ શહેરો ભાગ લેશે

સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3,003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે અને કુલ રૂ. 1,717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

Smart City Surat: સ્માર્ટ સીટી કોન્ફરન્સ આ વર્ષે સુરતમાં યોજાશે, દેશના 100 સ્માર્ટ શહેરો ભાગ લેશે
Smart City Conference will be held in Surat this year, 100 smart cities of the country will participate(File Image )
| Updated on: Mar 10, 2022 | 1:27 PM
Share

સ્માર્ટ સિટી (Smart City ) મિશનની શરૂઆત વર્ષ 2015થી થઈ છે. સ્માર્ટ સિટી મિશનમાં દેશના 100 સ્માર્ટ શહેરોનો સમાવેશ કરાયો છે. જેમાં સુરત (Surat )શહેર પણ છે. સ્માર્ટ સિટીની દર વર્ષે વિવિધ શહેરોમાં કોન્ફરન્સ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સુરત શહેરમાં આ કોન્ફરન્સ થશે અને દેશના તમામ 100 સ્માર્ટ શહેરો સુરતમાં આવશે, તેમજ મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસીંગ અફેર્સના મંત્રીઓ પણ હાજર રહેશે.

સુરતમાં તારીખ 17, 18 અને 19 એપ્રિલના દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આ કોન્ફરન્સ યોજાશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે માટે બુધવારે સુરત મનપા મુખ્ય કચેરી ખાતે મીટિંગ પણ યોજવામાં આવી હતી અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ષની કોન્ફરન્સ ‘મિશન ટ્રાન્સફોર્મ નેશન’ની થીમ પર હશે, આ કોન્ફરન્સમાં મુખ્ય પાંચ મુદ્દાઓ આવરી લેવાશે . જેમાં (1) ડીજીટલ ગર્વનન્સ,(2) રી – ઈમેજીંગ પબ્લીક પ્લેસીસ, (3) ઈનોવેશન (4) સ્માર્ટ ફાયનાન્સ(પીપીપી), (5)ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ.

સુરત મનપા તેમજ સ્માર્ટ સિટી સુરત દ્વારા તમામ 100 સ્માર્ટ શહેરો પાસેથી આ પાંચ મુદ્દાઓને લગતા પ્રોજેક્ટની વિગતો એકત્રિત કરવામાં આવશે અને કોન્ફરન્સમાં આ પાંચ થીમના પ્રોજેક્ટો પર વિગતો શેયર કરવામાં આવશે. જેથી તમામ સ્માર્ટ શહેરો આ પ્રોજેક્ટોની વિગતોની આપ – લે કરી શકશે.

સુરત મનપા દ્વારા આ પાંચેય થીમ પરના પ્રોજેક્ટના લાઈવ ડોમેસ્ટ્રેશન પણ આપવામાં આવશે તેવી તૈયારી કરવામાં આવી છે. દરમિયાન સરસાણા કન્વેશન સેન્ટર ખાતે પરિષદ યોજાશે, જેમાં શહેરી આવાસના કેન્દ્રીય મંત્રી સહિત 100 શહેરોના પ્રતિનિધિ હાજર રહેશે.

આ કોન્ફરન્સ માટે વિવિધ સ્થળો જોયા હતા, જેમાં સરસાણા ડોમ, સુરત કિલ્લો, ઉધના ખાતે આવેલ સુરતી આઇલેબ, ફોરેસ્ટ ક્લબ, સાયન્સ સેન્ટર આ સ્થળોની વિઝીટ લીધી હતી. જે પૈકી કોઈપણ એક સ્થળે સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.

સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3,003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે અને કુલ રૂ. 1,717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને કુલ રૂ. 1,205 કરોડના 14 પ્રોજેકટની કામગીરી હાલમાં ચાલી રહી છે. સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સમાં દેશભરના વિવિધ 100 સ્માર્ટ શહેરોના 500 જેટલા મહેમાનો સુરતમાં આવશે. જેમાં દરેક શહેરના મેયર, મનપા કમિશનર અને સેક્રેટરી સહિતના લોકો આવશે.

આ પણ વાંચો :IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">