Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલિકોપ્ટર સમાજને આપવાનું નક્કી કર્યુ, TV9 સાથે વાતચીત વચ્ચે આવ્યો વિચાર અને લીધો નિર્ણય

સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને તેના પરિવારે સરપ્રાઈઝ ગિફ્ટમાં 50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું છે. જોકે સવજીભાઈએ Tv9 સાથેની વાત વખતે જણાવ્તેયું કે હવે આ ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરનો એનજીઓ મારફત એર એમ્બ્યુલન્સ તરીકે સુરતના લોકોની સેવામાં તેનો ઉપયોગ કરશે.

સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલિકોપ્ટર સમાજને આપવાનું નક્કી કર્યુ, TV9 સાથે વાતચીત વચ્ચે આવ્યો વિચાર અને લીધો નિર્ણય
સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલીકોપ્ટર સમાજ માટે આપવાનું નક્કી કર્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 2:37 PM

હાલમાં જ સામાજિક સેવા માટે પદ્મશ્રી અવોર્ડ પ્રાપ્ત કરનાર સુરત (Surat)ના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Savjibhai Dholakiya )ને તેના પરિવારે સરપ્રાઈઝ ગિફ્ટમાં 50 કરોડનું હેલિકોપ્ટર (helicopter) આપ્યું છે. જોકે સવજીભાઈએ Tv9 સામક્ષ જાહેરાત કરી હતી કે તે આ ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરનો અંગત ઉપયોગ કરવાને બદલે એનજીઓ મારફત એર એમ્બ્યુલન્સ (Air ambulance) તરીકે સુરતના લોકોની સેવામાં તેનો ઉપયોગ કરશે.

આ અંગે Tv9 સાથે વાત કરતાં સવજીભાઈએ જણાવ્યું હતું કે મારા પરિવારે સાથે મળીને આ ગિફ્ટ આપવાનું નક્કી કરી રાખ્યું હતું અને કેટલાક ઉદ્યોગપતિઓ સાથેની બેઠકની વચ્ચે જ અચાનક આ જાહેરાત કરી ત્યારે જ મને આ અંગે જાણ થઈ હતી.

તેમણે જણાવ્યું કે પરિવરજનોએ હેલિકોપ્ટર આપવાની વાત કરી ત્યારે મે તેમને પૂછ્યું કે આપણે તેને હેન્ડલ કરી શકીએ તેમ છીએ? તેને રાખવાની અને ઉપાડવાની વ્યવસ્થા થઈ શકે તેમ છે? ત્યારે તેમણે મને કહ્યું કે, હા બાપુજી, આપણે બધુ હોન્ડલ કરી શકીએ તેમ છીએ. બધું પ્લાનિંગ કરી લીધું છે. તે સારી જગ્યાએથી ઉપડી શકે તેમ છે અને તેને સારી જગ્યાએ રાખી શકીએ તેમ છીએ.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

વાતચીત દરમિયાન સવજીભાઈએ કહ્યું કે અત્યારે Tv9 સાથે વાતચીત દરમિયાન બે મિનિટ પહેલાં જ મને વિચાર આવ્યો છે કે આ હેલિકોપ્ટરનો ઉપયોગ અંગત વપરાશ માટે નહીં પણ સમાજના કામ માટે કરીશું. સુરત શહેરને આપણે તે ભેટ આપશું. મારા માટે ઉત્તમ ઘડી છે, ભગવાને મને આ વિચાર આપ્યો અને મે તરત જ એક્સેપ્ટ કર્યો અને તમારી સાથે શેર કર્યો.

સુરતમાં જ્યાં પણ ઇમરજન્સી હશે ત્યાં તેનો ઉપયોગ કરીશું. આવડા મોટા સુરતનું આખી દુનિયામાં નામ છે પણ તેમાં એકેય હેલિકોપ્ટર નથી. મને ગર્વ થશે આ પહેલું માલિકીનું હેલિકોપ્ટર સુરતમાં એક એનજીઓ મારફત ચલાવવામાં આવશે, કોઈ પણને ઓર્ગનની જરૂર હોય, કોઈને ઇમરજન્સીમાં જરૂર હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરીશું, આમ એર એમ્બ્યુલન્સ તરીકે કામમાં આવે તેના ઉદ્દેશ સાથે આપણે આગળ વધીશું. સુરત શહેરના લોકો માટે આ ગિફ્ટ તરીકે સમજવું. આ એર એમ્બ્યુલનન્સ આપણે નો લોસ, નો પ્રોફિટના ધોરણે ચલાવીશું. જે કોઈ પાસે પૈસાની વ્યવસ્થા હશે તેની પાસેથી ખર્ચ લેશું પણ ખરેખર જે ચૂકવી શકે તેમ નથી તેના માટે પણ વ્યવસ્થા કરીશું.

તેમણે સૌરાષ્ટ્રમાં પાણી માટે કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા ફરીથી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ કચ્છ સુધીને ધરતીને પાણીથી તરબતર કરી દેવી છે જેથી પાણીની સમસ્યાનો હંમેશા માટે અંત આવી જાય. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણીની તંગી રહે છે. તેમાં જ્યાં પણ સહેલાઈથી પાણી એકત્રીકરણ થઈ શકે તેમ હશે ત્યાં પહેલાં કામ કરાશે.

તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે એક જગ્યાએ પાણી ભારશે તો તેનો ફાયદો બીજી જગ્યાએ થશે, પણ હકિકત તો એ છે કે જમીનમાં ઉતરતું પાણી બધી દિશામાં ફેલાય છે તેથી બધી બાજુ ફાયદો મળે છે. આપણે તળાવો બનાવીશું જેથી જમીનમાં પાણી ઉતરશે અને જમીનો પાણીથી તરબોળ થઈ જશે.

આ પણ વાંચોઃ Surat : ચૂંટણી પ્રચાર મટીરીયલના વેચાણમાં ઘટાડો માત્ર 10 કરોડના ઓર્ડર મળ્યા

આ પણ વાંચોઃ Ahmedabad : કોંગ્રેસમાં કાળા જાદુને લઇને રાજકારણ ગરમાયું, મહિલા કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાની તૈયારી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">