Surat : ફરી ધર્માંતરણનો મુદ્દો ઉછળ્યો, સોસાયટીમાં ચર્ચ ઉભુ કરાતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ

સુરતના (Surat) ઓલપાડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચના કાર્યકરો દ્વારા ઓલપાડ તાલુકા મથક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

Surat : ફરી ધર્માંતરણનો મુદ્દો ઉછળ્યો, સોસાયટીમાં ચર્ચ ઉભુ કરાતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ
protests by Hindu organizations
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:10 AM

ગામડાઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં(Tribal area)  ખ્રિસ્તી ધર્માંતરણનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે. આ મામલે હિન્દુ સંગઠનો(Hindu Religion)  દ્વારા અનેકવાર અવાજો પણ ઉઠાવવામાં આવે છે. ત્યારે સોમવારે સુરતના (Surat) ઓલપાડ તાલુકામાં આ જ મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે,હિન્દુ વસ્તી વચ્ચે ચર્ચ બનાવવામાં આવતા હિન્દૂ સંગઠનો જય જય શ્રી રામ ના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા .

સ્થાનિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી

મહત્વનું છે કે,સુરતના ઓલપાડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ ઓલપાડ તાલુકા(Olpad Taluka)  મથક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓલપાડની એક સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા ચર્ચ બનાવવામાં આવ્યુ હતુ તેની સામે લોકોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કર્યું હતુ.સ્થાનિકોની ફરિયાદ હતી કે, અહી 280 જેટલા ઘર એક સોસાયટીમાં આવેલા છે, જેમાં ખ્રિસ્તીઓના માત્ર 2 જ ઘર આવેલા છે. હિન્દુઓની બહુ વસ્તી હોવા છતાં અહી રહેણાંક સોસાયટીમાં ચર્ચ બનાવી દેવામાં આવતા સ્થાનિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.

મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ

હાલ સ્થાનિકોએ ઓલપાડ તાલુકા મથકે મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે અહી 300 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચ પર ભેગા થયા હતા અને તેમના દ્વારા સ્થાનિકોના ધર્મ પરિવર્તન કરવાની પેરવી કરવામાં આવી રહી છે. જેની સામે તેઓનો વિરોધ છે.વધુમાં તેમણે જણાવ્યું કે, બહારથી ખ્રિસ્તી ધર્મ ગુરુઓ આવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેથી આ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવે. અને રહેણાંક સોસાયટીમાંથી આ ધાર્મિક સ્થાનને પણ હટાવવામાં આવે. નહિ તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Input Credit-Suresh Patel (OLPAD)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">