પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ, પોલીસ વાન અને પોલીસ સ્ટેશનમાં પણ કરી તોડફોડ, જુઓ Video

Surat News : બે યુવકોને પોલીસ પકડીને લઇ જતી હતી. તે દરમિયાન બંને યુવકોએ પીસીઆર વાનમાં જ પોલીસ સાથે ઝપાઝપી કરી પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી.

પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ, પોલીસ વાન અને પોલીસ સ્ટેશનમાં પણ કરી તોડફોડ, જુઓ Video
પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:37 PM

સુરતમાં રાત્રિના સમયે નશાની હાલતમાં હોબાળો કરી રહેલા બે વ્યક્તિઓને પકડતા તેમણે પોલીસ સાથે પણ માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે. એટલુ જ નહીં સિંગણપુર પોલીસે બંને શખ્સોની ધરપકડ કર્યા બાદ તેઓએ PCR વાન ચાલક સાથે માથાકૂટ કરી અને પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી હતી. આ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતા તેમણે હોસ્પિટલમાં પણ બબાલ કરી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

સુરતના સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે જાહેરમાં કેટલાક યુવકો બબાલ કરી રહ્યા હતા. જેને લઇ બે યુવકોને પોલીસ પકડીને લઇ જતી હતી. તે દરમિયાન બંને યુવકોએ પીસીઆર વાનમાં જ પોલીસ સાથે ઝપાઝપી કરી પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસ મથકે અને હોસ્પિટલમાં પણ બંને યુવક અને તેના મિત્ર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઇ પોલીસે ધમાલ મચાવતાં ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બબાલ કરતા બેને પોલીસે પકડ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રીન્કુભાઈ સંગાડા સીંગણપોર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ ડ્રાઈવર નીલેશ કુમાર રાઠવા સાથે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સિંગણપોર વિસ્તારની હરિદર્શનના ખાડા સ્થિત SMC પાર્ટી પ્લોટ પાસે બે લોકો બુમ બરાડા પાડી મારામારી કરી બબાલ કરી રહ્યા હતા. જેથી પોલીસે તેમને પકડીને પીસીઆર વાનમાં બેસાડ્યા હતા.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

પોલીસ દ્વારા બંનેને લઈને પોલીસ મથકે લઇ જતા હતા તે વેળાએ રસ્તામાં બંને ઈસમોએ પાછળથી કોન્સ્ટેબલ અને ડ્રાઈવરનો શર્ટનો કોલર પકડી લીધો હતો અને અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહી બંને ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. જે પછી બંને પોલીસકર્મીઓ પીસીઆર વાનમાંથી બહાર ઉતરી ગયા હતા અને મદદ માટે પોલીસ મથકે જાણ કરી હતી. દરમિયાન બે પૈકી એક ઇસમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ અને વાયરલેસ સેટને પણ નુકસાન પહોચાડ્યું હતું. ત્યારબાદ ત્યાં પોલીસના અન્ય માણસો આવી જતા બંનેને પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં પૂછપરછ કરતા એક ઇસમેં પોતાનું નામ જીતું ઉર્ફે મજનુભાઈ કુંવર અને બીજા ઇસમેં પોતાનું નામ હિતેશ બાબુભાઈ આહીર જણાવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં પણ કરી બબાલ

પીસીઆર વાનનો કાચ તોડનાર જીતું ઉર્ફે મજનુભાઈ કુંવરે પીએસઓ કેબીનના કાચ પર જોરથી હાથ મારી ત્યાનો પણ કાચ તોડી નાખ્યો હતો. જેથી તેના હાથ પર ઈજાઓ થઇ હતી. જેથી પોલીસ કર્મીઓ તેને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં પણ તેણે પોલીસકર્મીઓ અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે સીંગણપોર પોલીસે ગુનો નોંધી જીતુ ઉર્ફે મજનુભાઈ અશોકભાઈ કુંવર, હિતેશ બાબુભાઈ આહિત અને અમોલ અશોક કુંવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">