AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video

યોગ દિવસ (Yoga day) પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગમાં લીન થઈ ગયા છે. સુરતમાં (Surat) આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video
સુરતમાં 150 લોકોએ આંખે પાટા બાંધી કર્યા યોગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:18 PM
Share

21 જૂને વિશ્વ યોગ દિવસ (World Yoga Day) છે. ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. જો કે દરેક પર્વને ઉત્સાહભેર મનાવવામાં હંમેશા આગળ રહેતા સુરતીઓ (Surat) યોગ દિવસને મનાવવા માટે પણ ભારે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. સુરતમાં યોગ દિવસ પહેલા જ યોગ કાર્યક્રમો શરુ થઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

યોગ દિવસ પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગામાં લીન થઈ ગયા છે. સુરતમાં આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા. અનોખા પ્રકારના આ યોગ સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. પરંતુ વિશ્વ યોગ દિવસ આવવાથી તેમાં પ્રાણ ફૂંકાયા છે. શા માટે આ પ્રકારના યોગ કરવા જોઈએ? તેવા TV9 ગુજરાતીએ કરેલા સવાલના જવાબમાં યોગ શિક્ષિકા કહે છે કે- આંખે પાટા બાંધીને યોગ કરવાથી મનની શાંતિ અને ચિત્ત એકાગ્ર થાય છે.

ઘણા લોકો કેટલીક બીમારીઓથી પીડાતા હોય છે. આ બીમારીઓ પણ યોગ કરવાથી દૂર થઈ રહી છે. ઊંઘ ન આવવી, બેચેની થવી સહિતની અનેક ગંભીર તકલીફો યોગ કરવાથી દૂર થઈ રહી છે.

મહત્વનું છે કે યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે.

યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ દિવસતરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)માં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. જેની બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે.

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
g clip-path="url(#clip0_868_265)">