AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video

યોગ દિવસ (Yoga day) પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગમાં લીન થઈ ગયા છે. સુરતમાં (Surat) આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video
સુરતમાં 150 લોકોએ આંખે પાટા બાંધી કર્યા યોગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:18 PM
Share

21 જૂને વિશ્વ યોગ દિવસ (World Yoga Day) છે. ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. જો કે દરેક પર્વને ઉત્સાહભેર મનાવવામાં હંમેશા આગળ રહેતા સુરતીઓ (Surat) યોગ દિવસને મનાવવા માટે પણ ભારે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. સુરતમાં યોગ દિવસ પહેલા જ યોગ કાર્યક્રમો શરુ થઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

યોગ દિવસ પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગામાં લીન થઈ ગયા છે. સુરતમાં આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા. અનોખા પ્રકારના આ યોગ સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. પરંતુ વિશ્વ યોગ દિવસ આવવાથી તેમાં પ્રાણ ફૂંકાયા છે. શા માટે આ પ્રકારના યોગ કરવા જોઈએ? તેવા TV9 ગુજરાતીએ કરેલા સવાલના જવાબમાં યોગ શિક્ષિકા કહે છે કે- આંખે પાટા બાંધીને યોગ કરવાથી મનની શાંતિ અને ચિત્ત એકાગ્ર થાય છે.

ઘણા લોકો કેટલીક બીમારીઓથી પીડાતા હોય છે. આ બીમારીઓ પણ યોગ કરવાથી દૂર થઈ રહી છે. ઊંઘ ન આવવી, બેચેની થવી સહિતની અનેક ગંભીર તકલીફો યોગ કરવાથી દૂર થઈ રહી છે.

મહત્વનું છે કે યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે.

યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ દિવસતરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)માં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. જેની બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે.

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">