AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : એકસાથે 52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષકોની રોજગારી પર પ્રશ્નાર્થ

અગાઉ 13 શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા. તે પૈકી પણ માત્ર 7 શાળા સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાળું હોવાની ચર્ચા ચાલી હતી. જ્યારે આ વખતે 52 શાળાને નોટિસ મુદ્દે સંચાલકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.

Surat : એકસાથે 52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષકોની રોજગારી પર પ્રશ્નાર્થ
Outrage among administrators over issuing notices to 52 private schools in surat (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 26, 2022 | 1:04 PM
Share

સુરત (Surat )શહેરની 52 સ્વનિર્ભર શાળાઓ (Private schools) પર બીયુ સર્ટિફિકેટ તેમજ રમતગમતના મેદાન મુદ્દે લટકતી તલવાર જોવા મળી રહી છે. જેના શિક્ષણજગતમાં ભારે ઊહાપોહ સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે . સુરત જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer) કચેરીએ શાળાઓને ફટકારેલી નોટિસને પગલે શાળા સંચાલકોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે . દરમિયાન એક આરટીઆઇમાં 75 શાળાના ઉલ્લેખ સામે 52 શાળાઓને એકસાથે નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે. સુરતની શાળાઓને ફટકારાયેલી નોટિસ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે રાજ્યસ્તરે રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી છે.

સુરત શહેરની 52 સ્વનિર્ભર શાળાઓને નોટિસ ફટકારવાના પ્રકરણમાં શાળા સંચાલકોના જણાવ્યા મુજબ , 2020 ના વર્ષમાં શાળાઓમાં મેદાનની સુવિધા , બીયુ સર્ટિફિકેટ સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને આરટીઆઇ કરાઇ હતી. તે યાદીમાં સુરતની 75 શાળાઓના નામની યાદી, ફોટા સહિતની વિગતો સામેલ હતી. જેમાં પ્રથમ તબક્કામાં એકલદોકલ શાળાઓને નોટિસ ફટકારવાની સાથે જ તેની મંજૂરી રદ કરવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. આ પ્રયોગ સફળ રહેતા એકસાથે 52 શાળાઓને નોટિસ ફટકારાઇ છે. જેને લઇને ઊહાપોહ શરૂ થયો છે.

આ સિવાય અગાઉ 13 શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા. તે પૈકી પણ માત્ર 7 શાળા સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાળું હોવાની ચર્ચા ચાલી હતી. જ્યારે આ વખતે 52 શાળાને નોટિસ મુદ્દે સંચાલકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.

હકારાત્મક વલણની ખાતરી કરી રજૂઆતો કરીશું : સંચાલકો

52 શાળાઓને નોટિસ અને રાજ્યસ્તરે રજૂઆત મુદ્દે રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ – ગુજરાતના પ્રમુખ જગદીશ ચાવડાએ જણાવ્યુ હતું કે , શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને અપાયેલી નોટિસ મુદ્દે રાજ્યસ્તરે રજૂઆત કરી છે. તેનો હકારાત્મક પ્રતિસાદ મળશે એવી ખાતરી છે. જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – સુરતના પ્રમુખ આનંદ ઝીંઝાળાએ જણાવ્યું હતું કે , 52 શાળા બંધ થશે તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મુકાવાની સાથે અનેક કર્મચારી, શિક્ષકોની રોજગારી છીનવાશે. આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું.

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા

આ પણ વાંચો-

Surat: તેના જ ઘરના ગુપ્ત રુમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">