AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olpad : ખાડાથી ત્રાસેલા ગ્રામજનોનું વાહનવ્યહવાર મંત્રીને રોડ પર ગાડી ચલાવવા નિમંત્રણ, રિપેરની કામગીરીમાં વેઠ ઉતારતા હોવાનો આક્ષેપ

તાજેતરમાં પડેલા વરસાદને(Rain ) કારણે રસ્તાઓની હાલત પહેલા હતી તેના કરતા પણ વધારે બદતર બની ગઈ છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો તંત્રનું ધ્યાન દોરવા માંગે છે

Olpad : ખાડાથી ત્રાસેલા ગ્રામજનોનું વાહનવ્યહવાર મંત્રીને રોડ પર ગાડી ચલાવવા નિમંત્રણ, રિપેરની કામગીરીમાં વેઠ ઉતારતા હોવાનો આક્ષેપ
Minister, bring the car to this road once: demand of villagers
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:52 AM
Share

સ્માર્ટ(Smart ) સિટીને ગામડા(Villages ) સાથે જોડવાના સરકારના મહત્વાકાંક્ષી યોજનાના ઘોડા માત્રને માત્ર કાગળ ઉપર દોડતા હોવાનો ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ (Olpad )તાલુકા સહિતના તમામ ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તાની વાસ્તવિકતા જોવામાં આવે તો તંત્ર દ્વારા કરવામાં આવેલો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ નજરે પડશે. રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર, થીંગડા મારવામાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ નજરે પડે છે. જેમાં પણ સૌથી વધારે માછલાં સુરત રેન્જનું માર્ગ મકાન વિભાગ પર ધોવાઈ રહ્યા છે.

સુરત જિલ્લામાં ઓલપાડ સહિતના ગ્રામીણ વિસ્તારના રસ્તાઓની હાલત આજે ખૂબ જ ખસતા છે. માર્ગ અને મકાન મંત્રી ખાડા પૂરવાના ફક્ત વચનો આપવાનું બંધ કરીને તેના કાયમી નિરાકરણ માટે ચિંતા કરવાની જરૂર છે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.. જ્યારે વાસ્તવિકતા જોવામાં આવે તો મંત્રીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લાના પંથકના રસ્તાઓના પ્રવાસે આવવાની જરૂર છે તો તેઓને પણ ખબર પડે કે રસ્તાઓ કેવા તકલાદીઓ બનાવવામાં આવી રહ્યા છે.

સામાન્ય વરસાદમાં જે રસ્તામાં ધોવાણ થઈ રહ્યું છે એ જોતા સ્પષ્ટ થાય છે કે રોડ રસ્તા બનાવવામાં કે રીપેર કરવામાં તંત્રે માત્રને માત્ર વેઠ ઉતારી રહ્યું છે. કનાજ થી શેરડી સુધીના રસ્તા બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતાં પણ રસ્તા બનાવવામાં પણ હજી સુધી આળસ ખંખેરવામાં આવી નથી. તે જ પ્રમાણે કીમ ચોકડી થી કીમ બજાર સુધી આરસીસીની ડ્રેનેજ લાઈનની દરખાસ્ત થઈ હોવા છતાં પણ કામ આગળ વધતું નથી. કીમ ઓવર બ્રિજની કામગીરી કેન્દ્ર ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ અધૂરી છે.

આવા એક નહીં પણ અનેક ઉદાહરણો જોવા મળશે જેના કારણે છેલ્લે ગ્રામજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓની હાલત પહેલા હતી તેના કરતા પણ વધારે બદતર બની ગઈ છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો તંત્રનું ધ્યાન દોરવા માંગે છે, અને આ રસ્તાઓનું તાકીદે રીપેરીંગ થાય તેવી માંગ કરી રહ્યા છે.

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">