AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 26, 2023 | 12:07 PM
Share

Surat : ગણેશ વિસર્જનને (Ganesh Utsav) લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આજે મહિધરપુરા વિસ્તારમાં વિસર્જન યાત્રાના રોડ પર આવતા વીજ વાયરો (Electric wire) મનપાના કર્મચારીઓ નહીં પરંતુ પોલીસના કર્મચારીઓ હટાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક,મિનિટોમાં જ મોત, જુઓ Video

કોઈ પણ જાતની સેફટી વિના પોલીસ કર્મીઓ વિસર્જન યાત્રામાં આવતા રૂટ પર વાયરો હટાવી રહ્યા હતા. જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે જે કામ મનપાના કર્મચારીઓનું છે તે કામ પોલીસ કર્મીઓ કરતા જોવા મળ્યા હતા.

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં નીકળતી વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પણ હવે શરૂ કરવામાં આવી છે. દરેક સરકારી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ મુજબની કામગીરીઓમાં જોડાઈ ગયા છે, પરંતુ આજે મહિધરપુરા વિસ્તારમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. અહીં મનપાના અધિકારીઓના સ્થાને

સુરતના ભાગળ વિસ્તાર કે જ્યાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રા નીકળે છે ત્યાં આજે ઓવરટેક કેબલ હટાવવાનું કે જેનું કામ સુરત મહાનગરપાલિકાનું આવે છે તે કામ પોલીસના કર્મચારીઓ કરતાં જોવા મળ્યા હતા એક તરફ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ કોઈપણ જાતની સેફટી વિના વાયરો ખેંચતા નજરે ચડ્યા હતા ત્યારે મોટો સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બીજી વાત એ છે કે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું છે તે કામ હાલમાં સુરત પોલીસના જવાનો કરી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">