Surat : ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર

ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે.

Surat : ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર
Jewelers benefit greatly from Gurupushya Nakshatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 9:37 AM

લોકો ભલે મંદીની વાતો કરતાં હોય સુરતમાં (Surat )ગુરૂપુષ્ય નક્ષત્રમાં સુરતીઓએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી છે. જવેલર્સનું માનીએ તો ગુરૂપુષ્યનાં એક જ દિવસમાં 70 કિલો સોનું (Gold ) વેચાયાનો અંદાજ છે. તા.18મી ઓક્ટોબરને મંગળવારે ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં સુરતીઓએ આખો દિવસ દરમિયાન અધધ સોનું અને અન્ય જવેલરી જેમાં  જુદા જુદા આર્ટિકલ્સ, દાગીના, સ્વરૂપે ખરીદ્યું હોવાનો અંદાજે સેવાય રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 17થી 2  ટકા સોનું વધુ વેચાયું હોવાનું પણ જ્વેલર્સ આગેવાનોએ જણાવ્યું હતું.

સુરતમાં અધધ સોનાનું વેચાણ

ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સુરત શહેરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દિવસે રીટેલ શોરૂમો આજે વહેલી સવારે આઠ વાગ્યાથી ગ્રાહકો માટે શરૂ થઇ ગયા હતા. જવેલર્સના કહેવા પ્રમાણે સમગ્ર દિવસ દરમિયાન કેટલું સોનું ચાંદી વેચાયું તેનો ચોક્કસ આંકડો તો કહેવો મુશ્કેલ છે પરંતુ, એક અંદાજ એ માંડી શકાય કે એકલા સુરત શહેરમાં જ 70 કિલો એટલેકે અંદાજે 6 હજારથી વધુ તોલા સોનું વેચાયું હોઇ શકે. સરેરાશ રૂ.50 હજારનો ભાવ ગણીએ તો પણ ત્રીસેક કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં વેચાયું હોવાનો અંદાજ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હવે નજર ધનતેરસ પર

ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસીએશનના એડવાઇઝરી બોર્ડના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે સુરતના લોકો દિવાળીના તહેવારો પહેલા આજે સારામાં સારા ઘરેણાંની ખરીદી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ગુરુપુષ્ય નક્ષત્રમાં પ્રી ઓર્ડરથી ગ્રાહકોએ જરૂરીયાત મુજબ વીંટી, બેંગલ વગેરે ખરીદ્યા છે. ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે. આમ હવે જવેલર્સની નજર ધનતેરસ પર છે. કોરોનાના બે વર્ષ પછી જયારે બધા તહેવારો ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે. તેને જોતા આ દિવાળી પણ જવેલર્સ માટે ખુબ સારી રહે તેવા સંકેતો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">