AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતવાસીઓ સાવધાન : કોરોના કેસોએ સદી ફટકારી, ફરી એકવાર એક્ટીવ કેસ 639 ને પાર પહોંચ્યા

સુરતમાં (Surat) કોરોનાએ સદી વટાવી 100 નો આંકડો પાર કર્યો છે. શહેર-ગ્રામ્યમાં એક્ટિવ કેસોના વધારા સાથે 639 એક્ટિવ કેસો(Corona active case)  થયા છે. જ્યારે તેની સામે 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

સુરતવાસીઓ સાવધાન : કોરોના કેસોએ સદી ફટકારી, ફરી એકવાર એક્ટીવ કેસ 639 ને પાર પહોંચ્યા
Increase Corona Cases in surat
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 9:23 AM
Share

Surat News : શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona case)  નવા 85 અને ગ્રામ્યમાં 18 કેસો સામે આવ્યા છે. એ સાથે સુરતમાં કોરોનાએ સદી વટાવી 100 નો આંકડો પાર કર્યો છે. શહેર-ગ્રામ્યમાં એક્ટિવ કેસોના વધારા સાથે 639 એક્ટિવ કેસો (Corona active case) થયા છે. જ્યારે તેની સામે 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.કોરોનાના કેસો ધીમી ગતિએ વધી રહ્યા છે. પરંતુ જોખમ વધતા શહેરીજનોએ ચેતી જવાની જરૂર છે. શહેરમાં કોરોનાના નવા 85 કેસો(Covid 19) સામે આવ્યા છે. જેમાં અઠવામાં 17, રાંદેરમાં 16, લિંબાયતમાં 14, કતારગામમાં 11 ,વરાછા-બીમાં 9, વરાછા-એમાં 7, સેન્ટ્રલમાં 5, ઉધના-એમાં 5 અને સૌથી ઓછા ઉધના-B માં 1 કેસ નોંધાયો છે. જેની સામે સુરતના 59 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે.

કોરોનાના એક્ટિવ કેસમાં ધરખમ વધારો

હાલ શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 534 પર પહોંચી છે. જેમાં 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. નવા કેસમાં ત્રણ વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, ટીચર, ડોક્ટર, વેપારીઓનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ ગ્રામ્યમાં શુક્રવારે 07 કેસોનો વધારો થતા 18 નવા કેસો સામે આવ્યા છે. જેમાં બારડોલી અને મહુવા તાલુકામાં 04-04, ઓલપાડ તાલુકામાં 03, ચોર્યાસી, પલસાણા અને કામરેજ તાલુકામાં 02-02 અને માંગરોળ તાલુકામાં 01 કેસનો નોંધાયો હતો. ગ્રામ્યમાં (Surat District) એક્ટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી છે. ત્યારે 17 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે.

જગન્નાથજીની યાત્રામાં શહેરીજનોએ કોરોનાને આમંત્રણ આપ્યુ

સુરત શહેરમાં ચાર થી પાંચ જગ્યાએથી જગન્નાથજીની યાત્રાનો (Jagannath Yatra) પ્રારંભ થયો હતો. જેમાં સુરતીવાસીઓએ સેંકડોની સંખ્યામાં ભાગ લીધો હતો. લોકો એવા મંત્રમુગ્ધ બન્યા કે કોરોનાવાયરસ છે કે નહીં તેનું પણ ભાન ભૂલી ગયા હતા. સુરતીવાસીઓ કોરોનાના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને માસ્ક નહીં પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે રોડ-રસ્તા પર ઉતરી આવ્યા હતા. આવા દ્રશ્યોને કારણે શહેરીજનો ખૂદ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">