AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થશે, પાલ અટલ આશ્રમમાં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ ધરાવાશે

Surat News : સુરતમાં આવેલા પાલ અટલ આશ્રમ ખાતે આ વર્ષે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરતમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થશે, પાલ અટલ આશ્રમમાં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ ધરાવાશે
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:58 PM
Share

6 એપ્રિલે હનુમાન જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે સુરત શહેરમાં પણ ધામધૂમથી હનુમાન જયંતી ઉજવાશે. સુરતમાં આવેલા પાલ અટલ આશ્રમ ખાતે આ વર્ષે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- હનુમાન જયંતીની ઉજવણી માટે સાળંગપુર જવા ઈચ્છતા ભક્તો માટે આ રૂટ ને જાણી લેશો તો મુશ્કેલી નહી પડે

સુરતમાં ઉજવણીની તૈયારીઓ

આવતીકાલે હનુમાનજી જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે સુરત શહેર પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરોની અંદર રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

હનુમાનજીને ધરાવાશે 4500 કિલોથી વધુનો લાડુ

આવતીકાલે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે અને મંદિરો જય બજરંગ બલીના નાદ સાથે ગુંજી ઉઠશે. સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઈને અટલ આશ્રમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ હનુમાન દાદાને ધરવામાં આવશે.

1500 કીલી ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા સુક્કો મેવો મળીને 4500 કિલોનો લાડુ તૈયાર થશે. આ ઉપરાંત અહી 2 હજાર કીલો બુંદી અને ગાઠીયા, 15 હજાર લીટર છાશ પૂરી, શાક, દાળ ભાત વગેરેનો પ્રસાદનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.

વર્ષ 2004થી કરવામાં આવે છે લાડુ બનાવવાનું આયોજન

અટલ આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું હતું કે આવતી કાલે હનુમાન જન્મોત્સવ નિમિતે 4500 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે અહી દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. લાડુ બનાવવાનું આયોજન વર્ષ 2004થી કરવામાં આવ્યું છે.

વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજન અમે નહી પરંતુ સ્વયમ હનુમાન દાદા જ કરે છે. હનુમાન દાદા છે જ એટલે જ આ કાર્યકમ થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">