AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હડતાલ પાડતાં અમરનાથ યાત્રિકો અટવાઈ ગયા

અમરનાથ યાત્રામાં જવા માંગતા યાત્રાળુઓ માટે ખાસ કરીને ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય છે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પણ આજથી ગુજરાતની અંદર ડોક્ટર હડતાલ માં જોડાય છે ત્યારે આ સેવા પણ ખોરવાઈ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હડતાલ પાડતાં અમરનાથ યાત્રિકો અટવાઈ ગયા
Doctors strike at Surats new civil hospital patients harassing
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:40 AM
Share

આજે રાજ્યમાં મોટા પ્રમાણમાં સરકારી હોસ્પિટલો (hospital) ના ડોક્ટરો (Doctors) હડતાલ (strike) ઉપર ઉતર્યા છે અને પોતાની અલગ અલગ જ માંગો છે તેને લઈને સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરત (Surat) માં પણ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો હડતાલ ઉપર છે જેના કારણે સામાન્ય જનતા અને જે સેવા લેવા માટે આવી રહેલા દર્દીઓને તેની મુશ્કેલીઓ પડી રહી છે. જોઈએ તો સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર અમરનાથ યાત્રા માટે ખાસ કરીને એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેથી લોકોને સરળતાથી ફિટનેસ સર્ટિફિકેટ મળી રહે પણ આજથી ગુજરાતની અંદર ડોક્ટર હડતાલ માં જોડાય છે ત્યારે આ સેવા પણ ખોરવાઈ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના પણ અંદાજિત 3000 થી વધુ ડોકટરો આ હડતાલમાં જોડાયા હતા જેના કારણે અનેક નાની-મોટી સેવાઓ ખોરવાઈ છે. આમ તો ઇમરજન્સી સેવાઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર રહેલા ડોક્ટરો સંભાળી રહ્યા છે જ્યારે અમરનાથ યાત્રામાં જવા માંગતા યાત્રાળુઓ માટે ખાસ કરીને ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય છે તે સર્ટિફિકેટ માટે પણ જે બારી હતી તે પણ આજથી બંધ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા કારણકે માત્ર 45 દિવસ માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે અને એક આસ્થાનું કેન્દ્ર ધરાવતું આ યાત્રા છે સાથે અલગ-અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હોય છે.

સુરતમાં પણ સાત હજારથી વધુ આ યાત્રા ની અંદર જોડાવાના હતા લોકો પણ સર્ટિફિકેટ લેવા લોકો લાઈનમાં જાય છે પણ સાચી ન મળતા ની સાથે આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ડોક્ટરોએ હડતાળમાં જોડાયા છે તેથી આ વ્યવસ્થા બંધ કરાઈ છે હવારે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અથવા તો સુરત જિલ્લા તંત્ર દ્વારા કઈ રીતે સુવિધા ઊભી કરવામાં આવે છે અને આ યાત્રામાં જેવા લાગતા વળગતા લોકોને કઈ રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

સુરત અને સુરતના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી આવી અને સાત વાગ્યાથી લાઈનમાં ઊભા હતા ત્યારે નવ વાગે બારી ખુલ્લી અને કહેવામાં આવ્યું કે આજથી ડોક્ટર હડતાલ ઉપર છે જેથી વ્યવસ્થા બંધ કરવામાં આવી છે એના કારણે લાઈનમાં ઉભેલા મોટી સંખ્યામાં લોકો અકળાયા હતા અને વિરોધ પણ કર્યો હતો

આ પણ વાંચોઃ Surat : માર્ચ મહિનામાં 1.15 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટથી પરિવહન કર્યું, સુરત એરપોર્ટનો દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સમાવેશ થશે

આ પણ વાંચોઃ નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">