Surat: દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત

સુરતમાં સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે થતી ટ્રાફિકની ગીચ સમસ્યા ઉકેલવા દર્શન જરદોષે ઉકેલ લાવી આપ્યો છે. રેલવે દ્વારા વરાછા રોડ, પોદ્દાર આર્કેડ પાસેની જમીન મનપાને લીઝ પર આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે.

Surat: દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:38 PM

નવસારી (Navsari)ના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) અને રેલ રાજ્ય મંત્રી દર્શન જરદોશની (Darshna Jardosh) મુલાકાત લઈને દક્ષિણ ગુજરાત (South Gujarat) માટેની ટ્રેનો લંબાવવા અને સ્ટોપેજ વધારવાની રજુઆત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મુસાફરોને (Passengers) તેનો ફાયદો મળે તેની રજુઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગાંધીનગર જનારા મુસાફરોને સરળતા રહે તે માટે શતાબ્દી અને ગુજરાત કવિનને ગાંધીનગર લંબાવવા, ઉત્તર ગુજરાતના લોકોની મુસાફરી વધુ સરળ બને અને લાભ મળે તે માટે વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થવી જોઈએ, નવસારી અમલસાડથી ચીકુની ટ્રેન દિલ્હી જાય છે.

દિલ્હીના પ્લેટફોર્મ પર થોડી અવ્યવસ્થાને કારણે વેપારીઓને તકલીફ પડે છે. આ અવ્યવસ્થા દૂર થાય તો વેપારીઓની સુગમતા વધે તે દિશામાં કાર્યવાહી થાય તે જરૂરી છે. આ ઉપરાંત સુરત, વલસાડ અને ઉધના સેટેલાઈટ સ્ટેશન માટે મિટિંગના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં દાંડીએ ઐતિહાસિક સ્થળ છે. દેશ વિદેશમાંથી અનેક પર્યટકો અહીં આવે છે. દાંડી ટ્રેન જો નવસારી સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ વધારવામાં આવે તો પર્યટકોને સુગમતા રહે અને દાંડીને પ્રયત્ન સ્થળ તરીકે વિકસાવવામાં વધારે સરળતા રહે તે માટે સાંસદ પાટીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રેલવે મંત્રીએ રજૂઆતો સાંભળીને હકારાત્મક પ્રતિભાવ આપવા સાથે જરૂરી વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી છે.

જ્યારે સુરતમાં સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે થતી ટ્રાફિકની ગીચ સમસ્યા ઉકેલવા દર્શન જરદોષે ઉકેલ લાવી આપ્યો છે. રેલવે દ્વારા વરાછા રોડ, પોદ્દાર આર્કેડ પાસેની જમીન મનપાને લીઝ પર આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે. હવે રેલવેની 301.875 ચોરસ મીટર જમીન સુરત મનપાને રસ્તાના વિસ્તરણ માટે મળશે. સુરત મનપા દ્વારા આ માંગણી વર્ષોથી થતી હતી. અહીં જમીન નહીં મળતા રસ્તાના વિકાસનું કામ અવરોધાયું હતું. તેના કારણે વરાછા ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જોકે હવે જમીન આપવા માટે મંજૂરી મળતા આ પ્રશ્નનું નિરાકરણ પણ જલ્દી આવી જશે.

આ પણ વાંચો: Surat: વધુ એક સનદી અધિકારીને સુરત સદી ગયુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની હવે કેન્દ્રમાં પોતાના કામનું પાણી બતાવી શકશે

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">