એક જ દિવસમાં આટલા હજાર કિશોરોને કોરોના વેક્સિન આપવાનો SMC નો ટાર્ગેટ, પુરજોશમાં કામગીરી શરુ

સુરતમાં પણ કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 5 દિવસમાં 622 સ્કૂલમાં 1 લાખ 92 હજાર કિશોરોને રસી આપવાનો મનપાનો ટાર્ગેટ છે.

એક જ દિવસમાં આટલા હજાર કિશોરોને કોરોના વેક્સિન આપવાનો SMC નો ટાર્ગેટ, પુરજોશમાં કામગીરી શરુ
Covid-19 vaccination for children aged 15-18 years in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:40 AM

Vaccination in Surat: દેશભરમાં કિશોરોને આજથી રસી આપવાનું શરૂ થયું છે. ત્યારે સુરતમાં (Surat) પણ કિશોરોને રસી (Vaccination for children) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 5 દિવસમાં 622 સ્કૂલમાં 1 લાખ 92 હજાર કિશોરોને રસી આપવા કવાયત હાથ ધરાઇ છે. અને આજના દિવસમાં 45 હજાર વિદ્યાર્થીઓને 118 સ્કૂલોમાં રસી આપવાનો મનપાનો ટાર્ગેટ છે. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયામાં 50થી વધુ વિદ્યાર્થીઓને કોરોના થયો છે.

મનપાની કુલ 175 ટીમ કામે લાગી

દેશમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી એટલે કે આજથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી સુરતમાં પણ આજથી વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂ કરી દીધી છે. સુરતમાં અત્યારસુધીમાં શહેરમાં 15 થી 18 વર્ષના અંદાજિત 1,92,552 બાળક નોંધાયાછે. જેમાં મનપાની કુલ 175 ટીમ કામે લાગી ગઈ છે. મનપા દ્વાપા જલદીથી પાંચથી સાત દિવસમાં વેક્સિનેશન પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે બાળકોને વેક્સિનની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કુલ નજીકની હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે.

દૈનિક આશરે 120 જેટલી શાળાઓમાં વેક્સિનેશન

પાલિકા દ્વારા 15થી 18 વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે 9 જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે. સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે.

ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024

પાંચ દિવસમાં 622 સ્કુલમાં વેકિસન અપાશે

તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. એ કવાયત માત્ર પાંચ દિવસમાં 622 સ્કુલમાં 1.92 લાખ બાળકોનું વેકિસન કરવા માટે સુરત મનપા તંત્રએ કવાયત હાથ ધરી છે.સાથે સાથે વેક્સિનેશની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કુલ નજીકની 40 હોસ્પિટલ સાથે પણ ટાઈઅપ કરવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોની વ્યવસ્થા પ્રમાણે વર્ગ શિક્ષિકા અને પ્રતિનિધિઓને વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં પણ સ્કુલમાં વેકિસન અપાશે

સુરત જિલ્લાના નવ તાલુકાની સ્કુલોમાં આજથી 150 ટીમ બનાવી 15 થી 18 વર્ષની વયના 67,750 વિદ્યાર્થીઓને કોરોનાની વેકિસન મુકવાનું અભિયાન શરુ કરાયુ છે. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ વેકિસન મુકાવી શકાશે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરુ થનાર છે. સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સ્કુલો પણ ચાલુ હોવાથી બાળકોને વેકિસન મુકી શકાય તો કોરોના સામે લડત આપી શકાય તેમ છે.

શહેરીજનો માટે 123 સેન્ટર

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે 123 સેન્ટરની સાથે સાથે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો

1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે. સાથે 7 મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ​​​રવિવારના રોજ 209 અને જિલ્લામાં 14 કેસ સાથે વધુ 223 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 145040 થઈ ગઈ છે. જો કે આ દિવસે એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું.

આ પણ વાંચો: સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…

આ પણ વાંચો: Surat: એક જ દિવસમાં આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના ભરડામાં, છેલ્લા 9 દિવસમાં 126 વિદ્યાર્થીઓને કોરોના

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">