તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન

3 જાન્યુઆરીથી દેશભરમાં તરુણોનો વેક્સિનેશન શરુ થશે. જેમાં સુરતમાં SMC શાળામાં જ 15 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને રસી આપશે.

તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન
Vaccination for 15-18 year olds (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 02, 2022 | 10:49 AM

Vaccination for 15-18 years old: 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના વયધારકને કોવિડ રસીનો ડોઝ આપવાની કામગીરી શરુ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો આ અંતર્ગત સુરત (Surat) શહેરની સરકારી ખાનગી શાળાઓમાંથી કુલ 1.92 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે.

6 દિવસમાં શાળાઓમાં વેક્સિનેશન

તો 560 ખાનગી સરકારી શાળાઓના નોડલ અધિકારીઓ સાથે સંકલન કરી કઇ સ્કૂલમાં વ્યવસ્થા ઊભી કરવી? તે નક્કી થઇ કરવામાં આવશે અને સોમવારથી 6 દિવસમાં 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને શાળાઓમાં વેક્સિનેશન સેન્ટર ઊભા કરી વેક્સિનનો ડોઝ આપવાની યોજના પૂર્ણ કરવામાં આવશે.

સુરત મનપાના (SMC) નાયબ આરોગ્ય અધિકારી ડો. રિતિકા પટેલે જણાવ્યું કે, વિવિધ ઝોન વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટરો પર કુલ 100 ટીમો ફક્ત શાળાઓમાં વેક્સિનની કામગીરી માટે અલાયદી રાખવામાં આવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દરેક ટીમમાં 6 સભ્યો હશે. શાળાના આચાર્યો, નોડલ અધિકારીઓ દ્વારા જે – તે ઝોનના નાયબ આરોગ્ય અધિકારી જવાબદાર અન્ય અધિકારી સાથે પરામર્શ કરીને કયા દિવસે કેટલાં વિદ્યાર્થીઓ વેક્સિનેશન માટે ઉપલબ્ધ રહેશે, તે માટેની વ્યવસ્થા મનપા દ્વારા ગોઠવવામાં આવશે. શાળાઓમાં જ વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવશે તે સ્પષ્ટ થઇ ગયું છે.

પહેલા દિવસે 45 હજાર વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ થશે

આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે 45 હજાર વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ કરવાનું આયોજન છે. સાથે જ જે બાળકો શાળાએ નથી જતા તેવા પણ 15 થી 20 હજાર જેટલા બાળકો કોર્પોરેશને ટ્રેસ કર્યા છે. તેમને પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

નોંધનીય છે કે 15 થી 18 વર્ષના વયધારકો માટે વેક્સિનેશનની વ્યવસ્થા ઉપરાંત મનપા દ્વારા પ્રથમ અને બીજા ડોઝ માટે 18 થી વધુ વય ધરાવતાં વ્યક્તિઓ માટે કાર્યરત વેક્સિનેશન સેન્ટરની સુવિધા યથાવત રહેશે.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન ?

રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં CoWIN એપ પર જાઓ. ત્યારબાદ તરૂણનું નામ ઉંમર સહિતની માહિતી લખો. તમારા રહેણાંક વિસ્તારનો પિનકોડ નાખો. રસીકરણ સેન્ટરના લીસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરો. ત્યારાબાદ વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરો.

રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોબાઇલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમેનક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નોંધણી કરી શકાશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ ID પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.

ઓળખપત્ર ન હોય તો પણ રજીસ્ટ્રેશન થશે

જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે…કિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે.. મિત્ર કે શાળાના આચાર્યના નંબરથી પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો: GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન

આ પણ વાંચો: ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">