AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : શહેરમાં CORONA વાયરસના 630 નવા કેસ, જાણો ક્યાં ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા

SURAT CORONA UPDATE : સુરતના અઠવા ઝોનમાં સૌથી વધારે 295 કેસો નોંધાયા છે, જ્યારે તે બાદ રાંદેર ઝોનમાં 131 કેસો નોંધાયા છે.

SURAT : શહેરમાં  CORONA વાયરસના 630 નવા કેસ, જાણો ક્યાં ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા
SURAT CORONA UPDATE
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:33 PM
Share

આજે જે 630 કેસો નોંધાયા છે. તેમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે.

SURAT : સુરત શહેરમાં કોરોના (CORONA) ના કેસોએ રફતાર પકડી છે. અને હવે રોકેટ ગતિથી કોરોનાના કેસો રોજબરોજ નવો રેકોર્ડ કરી રહ્યા છે. આજે 5 જાન્યુઆરીએ બપોર સુધી કોરોનાના 250 કેસો નોંધાયા હતા. જ્યારે સાંજ સુધી આ કેસોની સંખ્યા 630 પર પહોંચી ગઈ છે. આ જ બતાવે છે કે કોરોનાના કેસોની સંખ્યા કેટલી બમણી ગતિથી વધી રહી છે.

ક્યાં ઝોનમાં કેટલા કેસ ? આજે જે 630 કેસો નોંધાયા છે. તેમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે. સુરતના અઠવા ઝોનમાં સૌથી વધારે 295 કેસો નોંધાયા છે, જ્યારે તે બાદ રાંદેર ઝોનમાં 131 કેસો નોંધાયા છે.

આજે 17 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. 100 ટકા નજીક પહોંચેલો રિકવરી રેટ ઘટીને 96.86 ટકા થઈ ગયો છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવનારા દોઢ મહિના સુધી લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે, કારણ કે હજી પણ કોરોનાના કેસો વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

જોકે આટલા કેસો વધવા છતાં લોકોમાં હજી ગંભીરતા નહિ જોવા મળતા વહીવટીતંત્ર ની ચિંતા પણ વધી છે.લોકોને એ અપીલ કરવામાં આવી છે કે ભલે હોસ્પિટલાઇઝેશન ઓછું હોય પણ તેને સહજતાથી લેવાની જરૂર નથી.

આજે 58 વિદ્યાર્થીઓ પોઝિટિવ સુરતમાં આજે અલગ અલગ શાળા અને કોલેજો મળીને 58 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) અને અન્ય કોલેજોમાંથી પણ હવે યુવાનો સંક્રમિત થયા છે. જ્યારે જે શાળામાંથી કેસો આવ્યા છે, તે શાળાના જે તે વર્ગને બંધ કરવામાં આવ્યા છે.

ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સુરત મહાનગરપાલિકા (SMC)દ્વારા ટેસ્ટિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. હાલ સુરત શહેરના અઠવા અને રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારમાં રોજના 15 હજારથી વધુ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ધવન્તંરી રથની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.

ધન્વંતરી રથની સંખ્યા 99 થી 156 કરાઈ ડિસેમ્બર મહિનાના બીજા પખવાડિયાના પ્રારંભ સાથે જ સુરત શહેરને જાણે કોરોનાની નજર લાગી હોય તેમ કેસો ગણતરીના દિવસોમાં બમણાં થઈ રહ્યા છે. અઠવા અને રાંદેર ઝોન તો જાણે કોરોના મહામારીના ગઢ હોય તેમ સૌથી વધુ કેસો આ બન્ને ઝોનમાં નોંધાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના સંપર્કમાં આવેલા નાગરિકોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. એક તબક્કે સુરત શહેરમાં ધનવંતરી રથની સંખ્યા 99 હતી જે હવે તબક્કાવાર વધારીને 156 પર પહોંચી ચુકી છે અને આગામી દિવસોમાં હજી પણ વધારો થઇ શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">