AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો

AHMEDABAD CORONA UPDATE : અમદાવાદ મહાનગરપાલિકાએ સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો
AMC announced new SOP for societies
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:36 PM
Share

AHMEDABAD : અમદાવાદ શહેરમાં કોરોના (CORONA )વાયરસના કેસો વધવાની સાથે વધુ 23 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zones) માં મુકાયા છે.તો એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડીયાના આઈસીબી આઈસલેન્ડના 4 ઘરોના 13 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

તો સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ અને બોપલ, સોલા, ઘાટલોડિયા, ચંદલોડીયા અને થલતેજના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.આ સાથે જોધપુર, આનંદનગર, સાઉથ બોપલ અને શેલાના 5,,, તો પાલડી, વાડજ અને આંબાવાડી 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

શાહીબાગ અને કાલુપુરના બે વિસ્તાર અને દક્ષિણ ઝોનના કુબેરનગરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.તો નિકોલના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. 5 જાન્યુઆરી બુધવારે 139 ઘરોના 492 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવાનો નિર્ણય કરાયો છે.તો શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 108 થઇ છે.

સોસાયટી માટે નવા નિયમો હાલમાં સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોવિડ-19 ના કેસોમાં વધારો નોંધાયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ -19 ના રોગચાળાને કાબૂમાં લેવા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહેલ છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ – ટ્રેક – ટ્રીટમેન્ટના ત્રિસુત્રનાં સિદ્ધાંતથી રોગ અટકાયતીની કામગીરી કરવામાં આવે છે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા મહત્તમ ટેસ્ટીંગની, હાઉસ ટુ હાઉસ સર્વેની, કોવિડ વેક્સિનેશન અને જે વિસ્તારમાંથી કોવિડના કેસો મળી આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં મુકવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.

આ અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકાએ સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા છે :

1)અમદાવાદ શહેર વિસ્તારના સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના ચેરમેન-પ્રતિનિધિએ કોવિડ કો – ઓર્ડીનેટરની કામગીરી કરવાની રહેશે. આ કોવિડ કો- ઓર્ડીનેટર દ્વારા નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

2) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના સભ્યો કે જે કોવિડ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ માટે લાયક હોય તે તમામના વેક્સિનેશન થઇ જાય તેની ખાતરી કરવાની રહેશે.

3)સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના તમામ સભ્યો દ્વારા કોવિડ એપ્રોપ્રીએટ બિહેવિયરનું પાલન થાય તેની પૂર્ણ ખાતરી કરવાની રહેશે.

4)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે અને ટેસ્ટીંગની કામગીરીમાં પુરતો સહકાર આપવાનો રહેશે.

5)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવતા માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં જો તેમની સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષનો વિસ્તાર હોય તો તે ઘરના તમામ સભ્યોને કન્ટેઇન્મેન્ટ અંગે માહિતગાર કરવાના રહેશે અને આ સભ્યો દ્વારા સરકારશ્રીની માઈક્રો કન્ટેઇન્મેન્ટ માટેની ગાઈડ લાઈન અનુસરે તેની ખાતરી કરવાની રહેશે.

આ પણ વાંચો : દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સાધન સહાયમાં ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ, જાણો ગુજરાત ક્યાં સ્થાને છે ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">