Surat: પિતાનો આશરો ગુમાવનાર 300 દીકરીઓ 4-5 ડિસેમ્બરે સુરતમાં સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે
આ સમૂહલગ્નનું આયોજન અબ્રામા ખાતે કરવામાં આવે છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરે દીકરીઓના લગ્ન થવાના છે. સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડવા જનાર કેટલીક દીકરીઓ તો એવી પણ છે જેમના માતા પિતા બંને નથી.
Surat: સુરતમાં પી.પી.સવાણી પરિવાર તરફથી દર વર્ષે પિતાવિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંદડી મહિયર નામથી સમૂહલગ્નનું (Mass Wedding) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. આગામી 4 અને 5 ડિસેમ્બરે યોજાનારા સમૂહ લગ્ન પહેલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલેલી બેઠકમાં 240 દીકરીઓેએ હાજરી આપી હતી. દીકરીઓની સાથે તેમની માતાઓ અને અન્ય સંબંધીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં લગ્નનું સપનું સાકાર થતા જોઈ કેટલીક દીકરીઓ અને તેમના માતાઓની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ઉઠી હતી. નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા વર્ષ 2008થી અલગ અલગ રાજ્યો, જાતિ અને ધર્મની પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ સમૂહલગ્નનું આયોજન અબ્રામા ખાતે કરવામાં આવે છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરે દીકરીઓના લગ્ન થવાના છે. સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડવા જનાર કેટલીક દીકરીઓ તો એવી પણ છે જેમના માતા પિતા બંને નથી. તેવામાં ઘર જેવા પારિવારિક માહોલમાં દીકરીઓના લગ્ન યોજવામાં આવે છે. ત્યારે ઘણા ભાવુક દ્રશ્યો સર્જાય છે.
પી.પી.સવાણી ગ્રુપ સાથે જોડાયેલ રિદ્ધિ પટેલનું કહેવું છે કે સમૂહ લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં દીકરીઓ તેમના માતા પિતાને યાદ કરીને રડવા લાગી હતી અને વાતાવરણ ભાવુક થઇ ગયું હતું. સાસણથા દ્વારા પુરા પ્રયત્ન કરવામાં આવે છે કે દીકરીઓને માતાપિતાની કમી મહેસૂસ ન થાય.
આયોજક મહેશ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે 300 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને સમૂહ લગ્ન યોજવામાં આવશે અને જો તેવું ન થયું તો દીકરીના લગ્ન તેના ઘરે જ કરવામાં આવશે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. જેથી આ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે અને સમૂહ લગ્નમાં તેમનું પણ સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો: JAMNAGAR : 11 વર્ષીય બાળકલાકારની અનોખી પ્રતિભા, સંગીત પ્રત્યે અનોખો લગાવ
આ પણ વાંચો: Surat: ગોટાળાવાડી ટેનામેન્ટના 1,304 જેટલા પરિવાર ઘરવિહોણા, મેયરના બંગલે રહેવા જવાની આપી ચીમકી!