Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન

આ સ્થિતિ વચ્ચે જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘંઉ, જુવાર અને ચણા જેવા પાકો માટે બિયારણની રોપણી કરી છે તેઓને પણ ભારે નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં શાકભાજી વધુ મોંઘા બને તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:48 PM

રાજ્યમાં માવઠાને(Rain ) પગલે વધુ એક વખત ખેડૂતોની(Farmers ) હાલત કફોડી થવા પામી છે. આગામી બે દિવસ સુધી વરસાદની સંભાવના વચ્ચે શાકભાજીના પાકના સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય ઘંઉ – જુવાર અને ચણાના બિયારણ પણ ખેતરમાં વરસાદને કારણે નાશ પામે તેમ છે. આ સ્થિતિમાં મોંઘા બિયારણનો ખર્ચો ખેડૂતોને માથે પડે તેમ છે.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતાં ખેડૂતોને 30 ટકા જેટલું નુકસાન થવા પામ્યું હતું. ત્યારે હવે વધુ એક વખત માવઠાને કારણે પારડી, તુવેર, પરવળ, ટિંડોળા, ફુલાવર અને કોબીજ સહિતની શાકભાજીને ભારે નુકસાન થઈ શકે છે. આગામી બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણને પગલે ખેતરોમાં ઉભા શાકભાજી નાશ પામે તેવી પણ શક્યતાઓ છે.

આ સ્થિતિ વચ્ચે જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘંઉ, જુવાર અને ચણા જેવા પાકો માટે બિયારણની રોપણી કરી છે તેઓને પણ ભારે નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં શાકભાજી વધુ મોંઘા બને તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખેડૂતોની દયનીય સ્થિતિ સંદર્ભે વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં માઠવાને કારણે નુકસાન થવા છતાંસ રકાર દ્વારા હજી સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય ચુકવવામાં આવી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અધુરામાં પુરૂં સરકાર દ્વારા નુકસાનીના સર્વે માટે જરૂરી એવા તલાટી અને ગ્રામ સેવકોની ભરતી પણ કરવામાં આવી રહી નથી જેને પગલે ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે 48 કલાકના નિર્ધારિત સમયગાળામાં ન થવાને કારણે ખેડૂતો પણ આર્થિક સહાયથી વંચિત રહેવા પામે છે.

થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે સાડાઆઠ વાગે લો પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને બે ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ચાર ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">