Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

સુરતના તાપી જિલ્લાની બહેનો ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને પગભર થઈ છે. આ મહિલાઓ 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
Eco Friendly Ganeshji
Follow Us:
| Updated on: Sep 03, 2021 | 7:57 AM

સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ (Ganpati) ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગણેશ ભક્તો ગણપતિ મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરતના તાપી જિલ્લાના બોરખડી ગામની સખી મંડળની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ગણપતિ તૈયાર કરવામાં આવી આવ્યા છે. આ ગણપતિની ખાસિયત એ છે કે તે નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

સરકારની મંજૂરી બાદ ગણેશ આયોજકોએ ગણપતિ ઉત્સવની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દીધી છે. લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની પ્રતિમાઓ બુક કરાવવા લાગ્યા છે. હવે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બેસાડવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ વખતે સુરતના તાપી જિલ્લામાં બોરખડીમાં આવેલ નાની કુંડળ ગામની સ્નેહા સખી મંડળની બહેનો દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની નાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ફૂટથી લઈને ચાર ફૂટની ઊંચાઈ સુધીની મૂર્તિઓ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. સખી મંડળની મહિલાઓએ આ માટેની ખાસ તાલીમ લીધી છે અને તેની ટ્રેનિંગ લઈને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ અંગે સ્નેહા સખી મંડળના પ્રમુખ જણાવે છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી તેઓએ આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિઓ આ મહિલાઓ પોતાના ઘરમાં જ તૈયાર કરે છે. ઘરના કામ અને ખેતીના કામ સાથે આ મહિલાઓ નારિયેળનાના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને આર્થિક રીતે મદદ પણ કરે છે.

આ મૂર્તિઓ 500 થી લઈને રૂપિયા 5,500 સુધીમાં વેચાતી હોય છે. જેના કારણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટે એક અલગ વિકલ્પ મળી ગયો છે. જ્યારે પણ ઘરના કામમાંથી અને ખેતી કામમાંથી મહિલાઓ સમય મળે છે ત્યારે આ બહેનો આ પ્રકારના કામ કરતી હોય છે.

ગણપતિની પ્રતિમાઓ બનાવવાની સાથે સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવે છે. તેવામાં હાલ ગણપતિ મહોત્સવને લઇને આ બહેનોએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે .મૂર્તિની કિંમત તેમાં કરવામાં આવેલા શણગાર અને મૂર્તિની સાઈઝના આધારે નક્કી થતી હોય છે.

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">