Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની મોસમ શરૂ થઈ છે અને આ તહેવારોનો લાભ મળવાની આશાના કારણે પણ બજારમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું છે અને હવે ધીરે ધીરે બહારગામના વેપારીઓ પણ ફેસ્ટિવલની ખરીદીને લઈને સુરત આવતા થયા છે.

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:07 PM

કોરોના (Corona Virus)ના કારણે સુરત (Surat)ના બંને પાયાના ઉદ્યોગો ખુબ જ ડિસ્ટર્બ થયા હતા. ખાસ કરીને કોરોનાની બીજી લહેરની અસરથી સુરતનો કાપડ ઉદ્યોગ ખુબ જ પ્રભાવીત થયો હતો પણ કોરોનાની લહેર ઓસરતાની સાથે જ આખરે શ્રાવણ મહિનો સુરતના કાપડ બજારને ફળી ગયો છે. બહારગામના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા હોવાના કારણે હવે કામકાજ વધ્યું છે અને ટેક્સ્ટાઈલ ગુડ્સ ઉદ્યોગોનું ડીસ્પેચીંગ રોજના 15 હજાર પાર્સલો સુધી પહોંચ્યું છે.

શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની મોસમ શરૂ થઈ છે અને આ તહેવારોનો લાભ મળવાની આશાના કારણે પણ બજારમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું છે અને હવે ધીરે ધીરે બહારગામના વેપારીઓ પણ ફેસ્ટિવલની ખરીદીને લઈને સુરત આવતા થયા છે. વેપારીઓને હવે લાંબા સમય બાદ વેપાર મળતા તેઓ પણ કામકાજ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કારણ કે કામનું ભારણ પણ હવે વધ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક મહિના પહેલાની વાત કરીએ તો પહેલા કરતા કાપડ માર્કેટમાંથી પાર્સલોનું રોજનું ડીસ્પેચ 20થી 25 ટકા જેટલું હવે વધી ગયું છે. એક મહિના પહેલા દૈનિક 12 હજાર પાર્સલોનું ડીસ્પેચીંગ થતું હતું, તે હવે વધીને 15 હજાર અને તેના કરતા પણ વધારે પર પહોંચ્યું છે. કામકાજ હાલ ખુબ સારા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં દિવાળી સુધી વેપાર જળવાઈ રહેવાની પણ આશા છે, તેવું પાર્સલ કોન્ટ્રાકટરો જણાવી રહ્યા છે.

અન્ય રાજ્યો ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રમાં છૂટછાટો વધી છે. તેના કારણે પણ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. વેપારીઓ તરફથી હવે તહેવારોના ઓર્ડર મળવાનું શરૂ થયું છે અને હવે અન્ય રાજ્યો જેમ કે યુપી તેમજ બિહારના વેપારીઓ પણ ખરીદી માટે સુરત આવી રહ્યા છે.

કોરોનાના કેસો ઘટતા હવે વેપારીઓમાં કોરોનાનો ડર પણ ઓછો થયો છે. આરટીપીસીઆર અને વેક્સિન માટેનો આગ્રહ પણ ઓછો થયો હોવાના કારણે હવે વેપારીઓ બહારગામથી આવતા થયા છે. બે મહિના પહેલા કામકાજના અભાવે બેસી રહેતા વેપારીઓને હવે ઓર્ડર મળવા લાગ્યા છે. જેથી મંદીની તેમની ફરિયાદો પણ ઓછી થઈ છે. આવનારા તહેવારો માર્કેટમાં હજી તેજી લાવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે માર્કેટમાં ફરી એકવાર લાંબા સમય બાદ રોનક આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Surat : સુરતના હીરા વેપારીઓનું મોટું સપનું ડાયમંડ બુર્સ હવે સાકાર થવા તરફ, ઉદ્ઘાટન માટે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રણની હિલચાલ

આ પણ વાંચો: Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">