AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોલેજોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા ધસારો, રજીસ્ટ્રેશન માટેની મુદ્દત લંબાવાઈ

ધોરણ 12માં માસ પ્રમોશન બાદ કોલેજોમાં પ્રવેશ માટે પડાપડી જોવા મળી રહી છે. જેને જોતા હવે પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવી છે.

Surat : કોલેજોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા ધસારો, રજીસ્ટ્રેશન માટેની મુદ્દત લંબાવાઈ
Surat: Students rush to get admission in colleges, registration deadline extended
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:01 PM
Share

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અત્યારસુધી 27,150 બેઠક માટે 26 દિવસોમાં 32,000 વિદ્યાર્થીઓએ અરજી આપી છે. યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી આપવા જણાવવામાં આવ્યું છે.

આ વર્ષે અરજી કરવાની સમગ્ર કામગીરી ઝોન પ્રમાણે વહેંચી દેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ ઝોન પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. પહેલા યુનિવર્સીટી તરફથી પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ રાખવામાં આવી હતી. જોકે હવે તેને વધારિજે 25 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. યુનિવર્સીટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વધુને વધુ સમય મળે તે માટે આ તારીખ વધારવામાં આવી છે. યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા 23 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અત્યારસુધી 32 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓની અરજી આવી ચૂકી છે. જોકે ટેક્નોલોજીના યુગમાં બીસીએમાં 4800 બેઠક સામે વધુ વિદ્યાર્થીઓની અરજી આવી છે.

કોર્સ.                                                               અરજીઓ બી.એ.(માસ કોમ)                                            638 બીબીએ.                                                          5119 બીસીએ.                                                          6968 બીકોમ એલ એલબી.                                          174 બીકોમ.                                                          13,956 બીએસસી(કોમ્યુટર સાયન્સ)                           326 બીએસસી.                                                       3008 એમએસસી બાયોટેક.                                        68 એમએસસી આઇટી.                                          639

યુનિવર્સીટીના કુલપતિનું કહેવું છે કે ચાલુ વર્ષે માસ પ્રમોશનને કારણે ખૂબ મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેના માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે તે નિયમોને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 10 ઉપરાંત ધોરણ 12માં વિદ્યાર્થીઓની ટકાવારીને ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ તેઓએ કેટલા પ્રયત્નો પછી 12 ધોરણ પાસ કર્યું છે એ પણ ધ્યાનમાં રખાશે. તેને આધાર બનાવીને પ્રથમ પ્રયત્ને પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ પ્રવેશને લઈને ચિંતા જોવા મળી રહી છે. બી.કોમ. માટે જ 13,956 વિદ્યાર્થીઓની સૌથી વધુ અરજી આવી છે. બધી જ ફેકલ્ટીમાં સીટ કરતા કુલ 4850 વિદ્યાર્થીઓની અરજી વધારે આવી છે. વિદ્યાર્થીઓની મુખ્ય ચિંતા એ છે કે તેમને એડમિશન કઈ કોલેજમાં મળશે ? જોકે આ વર્ષે પસંદગીની કોલેજનો વિકલ્પ વિદ્યાર્થીઓ પાસે રહ્યો નથી. વિદ્યાર્થીઓને તેમના મેરિટના હિસાબે બોલાવીને પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો :

Surat : કોરોનાની દશા આવી રીતે જ થશે દૂર : ભક્તોએ દશામાનું ઘર આંગણે ઇકોફ્રેન્ડલી રીતે કર્યું વિસર્જન

Surat : ગોડાદરામાં દિયરે ભાભીની ક્રુર હત્યા કરી, હત્યારો પોલીસ સકંજામાં

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">