AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : માનદરવાજા ટેનામેન્ટના રહીશોને જર્જરિત આવાસમાં જ ખસેડવાનું કહેતા સ્થળાંતરનો મુદ્દો ફરી અટવાયો

સુરતના માનદરવાજા ટેનામેન્ટના (Mandarwaja Tenement) રહીશોને ફરી જર્જરિત આવાસમાં જ ખસેડવાનું કહેતા મામલો ફરી અટવાયો છે. વડોદ ખાતેના આવાસ પણ ખુબ જર્જરિત હોવાથી રહીશોએ ના પાડી છે.

Surat : માનદરવાજા ટેનામેન્ટના રહીશોને જર્જરિત આવાસમાં જ ખસેડવાનું કહેતા સ્થળાંતરનો મુદ્દો ફરી અટવાયો
માનદરવાજા ટેનામેન્ટ
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:55 AM
Share

થોડા દિવસો પહેલા માનદરવાજા ટેનામેન્ટ (Mandarwaja Tenement) સાડા ત્રણસોથી વધુ આવાસ ધારકો વડોદ ખાતે સ્થિત થવા તૈયાર થયા હોવાની વાત સામે આવી હતી. પરંતુ જે વડોદ ખાતે તેમને સ્થળાંન્તર કરવામાં આવનાર છે તે આવાસ પણ જર્જરિત હોવાથી માન દરવાજા ટેનામેન્ટના રહીશોએ સ્થળાંતરનો ઇનકાર કરી દીધો છે.

માન દરવાજા ટેનામેન્ટના 300 થી વધુ આવાસ ધારકોને વડોદ ખાતે શિફ્ટ કરવાની ભાજપના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનું સુરસુરિયું થઇ ગયું છે. તંત્ર જે વડોદ ખાતેના આવાસમાં માનદરવાજાના રહીશોને શિફ્ટ કરવા ઈચ્છે તે આવાસમાં જવા રહીશોએ ચોખ્ખો ઇનકાર કરી દીધો છે.

વડોદ ખાતેના આવાસ પણ ખુબ જર્જરિત હોવાથી 13 સભ્યોની કમિટીએ લીંબાયત ઝોન પર મળેલી બેઠકમાં વડોદ ખાતે સ્થળાંતર કરવા ના પાડી દીધી છે.

થોડા દિવસો પહેલા મહાનગર પાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો એ સંકલન કરીને ટેનામેન્ટના રહીશો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 13 સભ્યોની કમિટી બનાવી હતી. કમિટી સભ્યો દ્વારા વડોદ ખાતે આવાસની વિઝીટ કરવામાં આવી હતી.જોકે વડોદ ખાતેના આવાસ પણ અત્યંત જર્જરિત હોવાથી કમિટીના સભ્યએ ફોટા પાડીને લીંબાયત ઝોન ઓફિસ ખાતે મળેલી મિટિંગમાં વડોદ ખાતેના આવાસમાં સ્થળાંતર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

કમિટીના સભ્યોએ જણાવ્યું છે કે, જો વડોદ ખાતેના જર્જરિત આવાસમાં થવાનું હોય તેના કરતાં માન દરવાજા ટેનામેન્ટ ખાતે જ રહેવું સારું રહેશે અને રહેવાસીઓ દ્વારા કોઈપણ દુર્ઘટના બને તો તમામ જવાબદારી લેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે

જોકે ભાજપના હાજર કોર્પોરેટરો દ્વારા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટમાંથી વસવાટ ખાલી કરવો જ પડશે તેવી ચીમકી આપતા કમિટીના સભ્યો બેઠકમાંથી ઉઠી ગયા હતા અને મામલો અટવાઈ પડયો હતો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">