Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ કરતા હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે.

Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે
Surat: Residents of dilapidated Bhestan Awas will be shifted to other Awas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:35 PM

Surat સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના(SMC) સરસ્વતી આવાસના સ્લેબમાંથી વારંવાર પોપડા પડવાની ઘટના બનતા હવે આ વસવાટ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ટૂંક જ સમયમાં અહીં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે. સુરત શહેરને ઝીરો સ્લમ સીટી બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ઝુપડપટ્ટીઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

વર્ષો પહેલા સુરત મહાનગરપાલિકાને ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલા સરસ્વતી આવાસોમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. સમયસર રીપેરીંગ નહીં કરાતા આ આવાસો જર્જરિત થઇ ગયા હતા. અને ફ્લેટના સ્લેબમાંથી પોપડા પડવાની ઘટનાઓ શરૂ થઇ ગઈ હતી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ મનપાના આવાસો રહેવા લાયક નહીં હોવાનું જણાઈ આવતા મનપા દ્વારા અસરગ્રસ્તોને નોટિસ પાઠવવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેને પગલે 640 આવાસો પૈકી 300 થી વધુ ફ્લેટ ધારકોએ વસવાટ ખાલી કરી દીધો હતો. ગયા શુક્રવારે પણ સરસ્વતી આવાસની બિલ્ડીંગ નંબર 13માં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં એક બાળકીનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મનપાના ઉધના ઝોનના અધિકારીઓ પણ દોડી ગયા હતા.

ચોમાસા દરમ્યાન મોટી હોનારત નહીં સર્જાય તે માટે મનપા દ્વારા આ વસવાટ ખાલી કરાવવાની તજવીજ હવે હાથ ધરવામાં આવશે. આવાસમાં રહેતા અમુલ પરિવારોને ભેસ્તાન ખાતે આવેલા આવાસોમાં સ્થળાન્તર કરવામાં આવશે. જયારે અન્ય પરિવારોને વડોદ ખાતેના આવાસોમાં મકાન આપવામાં આવશે.

નોંધનીય છે કે માનવતાના ધોરણે મનપાએ લાભાર્થીઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે. પરંતુ લાભાર્થીઓ સૌછીક સ્થળાન્તર કરવા માટે આનાકાની કરતા મનપાનું તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. જો રહીશો સ્વાચ્છીક સ્થળાન્તર નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે વસવાટ ખાલી કરવામાં આવશે.

બીજી બાજુ ત્રણ મહિનામાં બે બાળકીઓના મોત નિપજતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

આ પણ વાંચો:  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">