AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ કરતા હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે.

Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે
Surat: Residents of dilapidated Bhestan Awas will be shifted to other Awas
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:35 PM
Share

Surat સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના(SMC) સરસ્વતી આવાસના સ્લેબમાંથી વારંવાર પોપડા પડવાની ઘટના બનતા હવે આ વસવાટ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ટૂંક જ સમયમાં અહીં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે. સુરત શહેરને ઝીરો સ્લમ સીટી બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ઝુપડપટ્ટીઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

વર્ષો પહેલા સુરત મહાનગરપાલિકાને ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલા સરસ્વતી આવાસોમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. સમયસર રીપેરીંગ નહીં કરાતા આ આવાસો જર્જરિત થઇ ગયા હતા. અને ફ્લેટના સ્લેબમાંથી પોપડા પડવાની ઘટનાઓ શરૂ થઇ ગઈ હતી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ મનપાના આવાસો રહેવા લાયક નહીં હોવાનું જણાઈ આવતા મનપા દ્વારા અસરગ્રસ્તોને નોટિસ પાઠવવામાં આવી હતી.

જેને પગલે 640 આવાસો પૈકી 300 થી વધુ ફ્લેટ ધારકોએ વસવાટ ખાલી કરી દીધો હતો. ગયા શુક્રવારે પણ સરસ્વતી આવાસની બિલ્ડીંગ નંબર 13માં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં એક બાળકીનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મનપાના ઉધના ઝોનના અધિકારીઓ પણ દોડી ગયા હતા.

ચોમાસા દરમ્યાન મોટી હોનારત નહીં સર્જાય તે માટે મનપા દ્વારા આ વસવાટ ખાલી કરાવવાની તજવીજ હવે હાથ ધરવામાં આવશે. આવાસમાં રહેતા અમુલ પરિવારોને ભેસ્તાન ખાતે આવેલા આવાસોમાં સ્થળાન્તર કરવામાં આવશે. જયારે અન્ય પરિવારોને વડોદ ખાતેના આવાસોમાં મકાન આપવામાં આવશે.

નોંધનીય છે કે માનવતાના ધોરણે મનપાએ લાભાર્થીઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે. પરંતુ લાભાર્થીઓ સૌછીક સ્થળાન્તર કરવા માટે આનાકાની કરતા મનપાનું તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. જો રહીશો સ્વાચ્છીક સ્થળાન્તર નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે વસવાટ ખાલી કરવામાં આવશે.

બીજી બાજુ ત્રણ મહિનામાં બે બાળકીઓના મોત નિપજતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

આ પણ વાંચો:  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">