AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

વડનગરથી વડાપ્રધાન સુધીનું નરેન્દ્ર મોદીના જીવનની યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ નમોત્સવ નું સુરતના આંગણે આયોજન
Surat: PM Modi's birthday grand event "Namotsav" organized in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:13 AM
Share

લોક કલાકાર સાંઈરામ દવેની પ્રસ્તુતિમાં નમોત્સવ(Namotsav ) કાર્યક્રમનું આયોજન પીએમ નરેન્દ્ર મોદીના(PM Narendra Modi ) જન્મદિવસ પર કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં દરેક ગામના રામ મંદિરની સાથે સુરતમાં પણ નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન રામની આરતી, કરીને વડાપ્રધાન ના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટેની પ્રાર્થના કરવામાં આવશે.

નમોત્સવ કાર્યક્રમમાં કેકની જગ્યાએ 71 કિલોની જલેબીનું કટિંગ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ માટે લઈને ભાજપના કાર્યકર્તાઓની, સમર્થકોની સાથે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે સમગ્ર ભારતમાં કોઈ વડાપ્રધાનનો જન્મદિવસ આ રીતે નહિ ઉજવાયો હોય તે પ્રકારનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું છે.

વડનગરથી વડાપ્રધાન સુધીનું નરેન્દ્ર મોદીના જીવનની યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે. સાથે જ કલાકારો ભારત અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવવામાં આવશે.

650 વ્યક્તિઓ પ્રત્યક્ષ અને 10 લાખ લોકો ઓનલાઈન કાર્યક્રમ નિહાળશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફેસબુક પેજ પર આખો કાર્યક્રમ લાઈવ દર્શાવવામાં આવશે. સાથે જ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને 650 વ્યક્તિઓ પ્રત્યક્ષ આ કાર્યક્રમ રૂબરૂ નિહાળી શકશે.

71 વિદ્યાર્થીઓને લેવામાં આવશે દત્તક આ કાર્યક્રમ થકી ફક્ત જન્મદિવસની ઉજવણી જ નહીં પણ સમાજને પ્રેરણા મળે તેવું સામાજિક કાર્યક્રમ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં અભ્યાસ કરતા 71 બાળકોને દત્તક લેવામાં આવશે કે જેઓ સીએ બનવા માંગે છે. આ બાળકોના સીએનો અભ્યા પૂર્ણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ ભોગવશે.

કેક નહિ પણ 71 કિલોની જલેબીનું થશે કટિંગ

સામાન્ય રીતે જન્મદિવસના અવસરે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. પણ પીએમ મોદીના જન્મદિવસે કેક નહિ પરંતુ 71 કિલોની વિશાળ જલેબી બનાવવામાં આવી છે. જેનું કટિંગ કરવામાં આવશે. આ જલેબીને તે બાદમાં અનાથાશ્રમનાં બાળકોને વહેંચવામાં આવશે. આમ પહેલીવાર અનોખો કાર્યક્રમ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ પાલ  ખાતેના સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

આ પણ વાંચો : Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">