AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કાયમી વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓને સ્થાનિક મતદારયાદીમાં નામ ઉમેરવા સમજાવવામાં આવશે : કલેકટર

સુરત શહેરમાં વરાછા, કતારગામ, પુણા, કામરેજ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો સુરત રોજીરોટી માટે આવ્યા હતા અને અહીં સ્થાયી થયા છે.

Surat : કાયમી વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓને સ્થાનિક મતદારયાદીમાં નામ ઉમેરવા સમજાવવામાં આવશે : કલેકટર
Surat Collector Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:52 PM
Share

સુરત (Surat) શહેરમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર સહિતના સુરતમાં કાયમી વસવાટ કરતા અને વતનમાં મતદાર કાર્ડ (Voting Card) ધરાવતા હોય તેવા મતદારોને સુરતમાં જ મતદાર નોંધણી કરાવવાની સમજાવટ કરવાનો પ્રયાસ કરવાની સાથે આગામી 1 થી 28 નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કરવામાં આવશે. સુરતમાં હાલના તબક્કે 45,52,296 મતદારો નોંધાયા છે.

મતદાર યાદીમાં નામ નોધણી, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત બાબતો માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ જણાવ્યું હતું કે સુરત અર્બન શહેર હોવાથી મહત્તમ લોકો ઓનલાઇન સેવાનો આગ્રહ રાખે તે જરૂરી છે. જેથી વર્તમાન કોરોનાની સ્થિતિમાં લોકોની ભીડ એકત્ર થતી અટકશે.

વધુમાં જિલ્લા અધિક ચૂંટણી અધિકારીને સૂચન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખાસ કરીને વરાછા, કતારગામ, પુણા, કામરેજ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો સુરત રોજીરોટી માટે આવ્યા હતા અને અહીં સ્થાયી થયા છે. આવા લોકો આધારકાર્ડ સહિતના પુરાવા સુરતના રાખે છે જ્યારે તેમના મતદારકાર્ડ વતન કે ગામના હોય છે. આવા મતદારો કે જે સુરતમાં કાયમી વસવાટ કરી રહ્યા છે તેમજ તેમને સુરતમાં જ મતદાર યાદીમાં નોંધણી કરવા માટે સમજાવવામાં આવે તે જરૂરી છે.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે લોકો મહત્તમ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં મહત્તમ ફલોઅર્સ ધરાવતા લોકોનો ઉપયોગ કરીને મહત્તમ કવરેજ કરાવવાની અપીલ કરવામાં આવશે. આ ઉપરાંત મતદારો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે આઈ.ટી.આઈ. કોલેજ ખાતે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવશે અને અન્ય કોલેજો તેમજ સ્કૂલોમાં પણ યુવા મતદારોની નોંધણી માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

આ કામગીરી માટે સુરત જિલ્લાની 16 વિધાનસભા મતદાર વિભાગમાં 16 મતદાર રજીસ્ટર ઓફિસર, 93આસિસ્ટન્ટ રજીસ્ટ્રેશન ઓફિસર, 4546 બુથ લેવલ ઓફિસર અને 420 બીએલઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત તમામ કોલેજોમાં યુવા મતદારોની સાંજના 5 વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથક બીએલઓ હાજર રહીને ફોર્મ સ્વીકારાશે.

મતદારો www.nvsp.in અથવા voterportal.eci.gov.in અથવા  www.ceo.gujarat.gov.in મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી કરવા અને નામ દાખલ કમી અને સુધારાની નવી અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન એપ પરથી પણ તેઓ માહિતી મેળવી શકશે

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ગરીબ પરિવારના ચહેરા પર ખુશી લાવવા સુરતનું આ ગ્રુપ વહેંચી રહ્યું છે “Smiling Kit”

આ પણ વાંચો : Surat : કાપડ માર્કેટના વેપારી અને કારીગરો YouTube પર શોર્ટ મુવીમાં છવાયા, હજારો લોકોએ અભિનયના કર્યા વખાણ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">