Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન

ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન
Surat: Notification of Commissioner of Police to strictly follow the guideline in Ganpati Utsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:16 PM

આગામી સાર્વજનિક ગણેશ મહોત્સવ સંદર્ભે ગુજરાત સરકારની ગાઇડલાઇન ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જરૂરી માર્ગદર્શિકા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે સરકારની ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા માટે પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.

આ સાથે જ એનજીટીની ગાઇડલાઇન અંતર્ગત ઘરે સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘરઆંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં જ કરવાની હિતાવહ હોવાનું પણ સૂચન કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સાત ઝોનમાં 19 જેટલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીના પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં નક્કી કરેલા સ્થળે કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આયોજકોનો થર્મલ સ્કેનિંગ, સેનેટઇઝર સાથે ઓક્સિમીટરની સુવિધા ઉભી કરવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને શ્રીજીના દર્શનની વ્યવસ્થા માટે યોગ્ય અંતર જાળવી ગોળ કુંડાળા કરવા અને બેઠક વ્યવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટ અંતર જળવાઈ રહે તેની કાળજી રાખવા સૂચના આપી છે.

સાવર્જનિક ગણેશ મહોત્સવ દરમ્યાન તબીબી સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. મંડપમાં થૂંકવા, પાન મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ જો 2 ફૂટની પ્રતિમા હશે તો એ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે જ કરવાનું રહેશે. તેમજ બે ફૂટ થી મોટી પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે.

જોકે આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવની ગાઇડલાઇન મોડેથી જાહેર કરાતા 4 ફૂટની પ્રતિમાઓની બનાવટ બહુ ઓછી થઇ છે. જોકે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના ગણેશભક્તો દ્વારા પણ તેની જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: TB ના વધતા કેસોને જોતા લાજપોર જેલના કેદીઓની દર છ મહિને સમયસર તપાસ કરવા ગુજરાત સરકારને ભલામણ

Surat : છત્તીસગઢનો પરિવાર રીક્ષામાં દાગીના ભૂલ્યું, પોલીસે સમયસૂચકતા વાપરી કિંમતી સામાન શોધી કાઢયો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">