સુરતના વસંત ભિખાની વાડી પાસે લાલીયાવાડી, હપ્તા નહિં તો લારી પણ નહી, લાંચીયા કોર્પોરેટર અને અધિકારીઓના ઈશારે લારીઓ ઊંચકાતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

સુરતમાં અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધાઓ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં સુરતના વસંત ભિખાની વાડી પાસે પાલિકાની નીતિના બેવડા ધોરણો સામે આવ્યા છે. અનલોકના આ સમયમાં બધા જ લોકો પોતાનો ઠપ્પ થયેલો ધંધો રોજગાર બેઠો કરવા મથી રહ્યા છે ત્યાં ગરીબોનું કોઈ બેલી નથી એ બાબત સુરત મહાનગરપાલિકા સાબિત કરી રહી છે. વસંત […]

સુરતના વસંત ભિખાની વાડી પાસે લાલીયાવાડી, હપ્તા નહિં તો લારી પણ નહી, લાંચીયા કોર્પોરેટર અને અધિકારીઓના ઈશારે લારીઓ ઊંચકાતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 11:37 AM

સુરતમાં અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધાઓ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં સુરતના વસંત ભિખાની વાડી પાસે પાલિકાની નીતિના બેવડા ધોરણો સામે આવ્યા છે. અનલોકના આ સમયમાં બધા જ લોકો પોતાનો ઠપ્પ થયેલો ધંધો રોજગાર બેઠો કરવા મથી રહ્યા છે ત્યાં ગરીબોનું કોઈ બેલી નથી એ બાબત સુરત મહાનગરપાલિકા સાબિત કરી રહી છે.

વસંત ભિખાની વાડી પાસે વર્ષોથી શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ભરાય છે. પણ અહીંના સ્થાનિક કોર્પોરેટરની દાદાગીરીના કારણે લારી ચલાવતા શ્રમિકોની હાલત કફોડી બની છે. આ એવો વર્ગ છે જે અનલોક બાદ હાલ વતનથી આવીને રોજનું કમાવીને રોજનું ખાવા મહેનત કરી રહ્યા છે.  કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ પાસે હપ્તા ઉઘરાવીને જ ધંધા રોજગારની પરમિશન આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ શાકભાજી વિક્રેતાઓએ કર્યો છે. જો હપ્તા આપવાની ના પાડવામાં આવે તો શાકભાજીવાળાની લારી રસ્તામાં દબાણરૂપ હોવાનો હવાલો આપીને લારી ઊંચકી લેવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલી વાર નથી, આ પહેલા પણ શાકભાજી વિક્રેતાઓની રોજીરોટી પર તરાપ મારવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ હોવા છતાં માત્ર વસંત ભિખાની વાડી પાસે ધંધો કરતા શાકભાજી વિક્રેતાઓને ખોટી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

 પણ હાલ કોરોનાના કારણે પહેલાથી લોકોની આર્થિક હાલત કફોડી છે અને તેવા સમયે ગરીબોના પેટ પર કોર્પોરેટર અને અધિકારીઓ રુઆબ જમાવીને જે લાત મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે નિંદનીય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">