AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે

ઉકાઈ ડેમની સવારે 10 વાગ્યાની સપાટી પર નજર કરીએ તો 342.69 ફૂટ નોંધાઈ હતી. જેમાં પાણીની આવક 1,22,228 ક્યુસેક નોંધાઈ હતી. જયારે ડેમમાંથી એક લાખ કરતા પણ ઓછું એટલે કે 69,844 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે
Surat: Less than 1 lakh cusecs of water is now being released from Ukai
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 12:53 PM
Share

સુરત શહેરના (Surat City ) લોકોના ધબકારા વધારી દેનાર ઉકાઈ ડેમના (Ukai Dam ) ઉપરવાસમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઇના ઉપરવાસમાં ઉઘાડ નીકળવાની સાથે સાથે ડેમમાંથી તાપી નદીમાં પાણી ચોદવાનું પ્રમાણ ગઈકાલની સરખામણીમાં અધૂ કરીને એક લાખ ક્યુસેક કરતા પણ ઓછું કરી દેવામાં આવતા શહેરીજનો સહીત વહીવટી તંત્રને મોટી રાહત થઇ છે. 

દર વર્ષે ઉકાઈ ડેમ ચોમાસામાં સુરતીઓના જીવ અઘ્ધર કરી છે. કારણ કે ઉકાઈ ડેમમાંથી જયારે પણ તાપી છોડવામાં આવે છે. ત્યારે ધસમસતા પાણી ક્યારેક પૂર લાવે છે તો ક્યારેક તાપી કાંઠે ઓછા વત્તા અંશે વિનાશ પણ લાવે છે . જેના કારણે સુરતીઓ ઉકાઈ ડેમના ઉપરવાસની ચહલ પહલ પર સતત વોચ રાખીને બેસતા હોય છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગુલાબ વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર મોટાપાયે વરસાદ વરસતો હતો. જેના પગલે સતત સાત દિવસથી ડેમમાંથી સુરતની તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. છેલ્લા બે દિવસ ઉકાઈ ડેમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર માટે ભયાનક રીતે પસાર થયા હતા. પરંતુ હવે ડેમમાં રાહત રહેતા પાણીની આવક ઘટવા સાથે વીતેલા ચોવીસ કલાકમાં 538.65 એમસીએમ પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવ્યું હતું.

ડેમમાં હાજી પણ ચારસો એમસીએમ જેટલું પાણી આવે તેવો અંદાજ છે. જેથી હજી પણ બે ચાર દિવસ સુધી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવશે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે કોઝવે ઓવર ફલો થયો છે. તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે. તાપીનો આ નજારો જોવા માટે સુરતીઓએ પણ રીતસરનો ધસારો કર્યો હતો.

ઉકાઈ ડેમની સવારે 10 વાગ્યાની સપાટી પર નજર કરીએ તો 342.69 ફૂટ નોંધાઈ હતી. જેમાં પાણીની આવક 1,22,228 ક્યુસેક નોંધાઈ હતી. જયારે ડેમમાંથી એક લાખ કરતા પણ ઓછું એટલે કે 69,844 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટીમાં પણ 2 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ કોઝવેની સપાટી 7.78 મીટર જેટલી નોંધાઈ છે.

આમ, ડેમમાંથી હવે તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાતા શહેરીજનો ની સાથે સાથે સુરત જિલ્લા વહીવટીતંત્રને પણ મોટો હાશકારો થયો છે.

આ પણ વાંચો : Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત

આ પણ વાંચો : Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">