Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !

|

Oct 28, 2021 | 4:52 PM

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે.

Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !
પાણીથી ચાલતા દીવા

Follow us on

હાલ દરેક વસ્તુઓમાં મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર દરેક વસ્તુ પર પડી છે. દિવાળીએ ઘી તેલના (Ghee-Oil) ભાવ પણ વધી ગયા છે. જેથી સુરતની મહિલાઓએ ભેગા મળીને ઇકો ફ્રેન્ડલી દીવા તૈયાર કર્યા છે. આ દીવા ઘી તેલથી નહીં પણ પાણીથી (Water) પ્રગટાવી શકાય છે. આ દીવાની બેટરી લાઈવ 100 કલાક જેટલી છે.

આ દીવા ઇકો ફ્રેન્ડલી પણ છે. જેથી તે લોકોના બજેટને કોઈ પણ રીતે અસર તો કરતા જ નથી પણ સાથે સાથે તે પર્યાવરણ માટે પણ કોઈ રીતે નુકશાન કરતા નથી. આ દીવા સુરતની 6 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. છ મહિલાએ મળીને 600 દીવા તૈયાર કાર્ય છે. ઇકો ફ્રેન્ડલી આ દીવા બનાવનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પણ દેશ વિદેશમાંથી આ પાણીથી ચાલતા દીવાની માગ આવી રહી છે. જેને લઈને તેઓ ઓર્ડર પ્રમાણે દિવા બનાવી પણ રહ્યા છે. દીવાની અંદર એક સિક્કાની સાઇઝનો સેલ ફિટ કરવામાં આવ્યો છે, જેને હાઈ ક્વોલિટી સેન્સર સાથે જોડવામાં આવ્યો છે. જેમાં પાણી નાંખતા જ તે રિયલ દીવાની જેમ ઝળહળી ઉઠે છે.

આ દીવાનું સંશોધન કરનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે તેઓ છ મહિનાથી દિવાળી માટે પહેલાથી જ કંઈક નવું અને ઇનોવેટિવ કરવાનો વિચાર કરી રહ્યા હતા અને તેમાં તેઓને ત્રણ મહિના પછી સફળતા મળી છે. એક કોઈન સાઈઝના સેલ અને સેન્સરની મદદથી તેઓએ આ યુનિક દીવા તૈયાર કાર્ય છે. આ દીવો બે ટીપા પાણીથી પણ ચાર કલાક ચાલી શકે તે રીતેનું પરીક્ષણ સફળ થયું છે. તેમની સાથે બીજી પાંચ મહિલાઓએ ભેગા મળીને આવા કુલ 600 જેટલા દીવા તૈયાર કર્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે અને તેમના ક્રિએટિવ અને યુનિક વર્કના ખુબ વખાણ પણ થઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો

આ પણ વાંચો: Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

Next Article