Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી

|

Oct 19, 2021 | 3:09 PM

કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે.

Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી
Surat: Fraud of over Rs 1,200 crore with textile market traders in 7 months

Follow us on

કોરોનાના(Corona ) કેસો ઓછા થવાની સાથે જ સામી દિવાળીએ(Diwali ) વેપારમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ છેલ્લા સાત મહિનામાં કાપડ માર્કેટમાંથી વેપારી સંગઠનોની 40 મિટિંગમાં રૂ. 1200 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. શહેરમાં 165 થી પણ વધુ માર્કેટમાં 75 હજાર કરતા વધુ કાપડ વેપારીઓ વેપાર કરે છે. જેઓ ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, વેપાર પ્રગતિ સંઘ, સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.

કોરોનાના કારણે કાપડ માર્કેટમાં રૂપિયાની ખેંચતાણ વધી છે. સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન દ્વારા છેલ્લા સાત મહિનામાં દર રવિવારે વેપારીઓ સાથે કરવામાં આવી રહેલી મીટીંગનો આંક 40 ને પાર થયો છે. 40 રવિવારની મિટિંગમાં કિલ 5668 પેમેન્ટ ફસાયા ની અરજીઓ આવી છે. જેમાં 1200 કરોડથી વધારાનું પેમેન્ટ ફસાયું હોવાની ઘટના સામે આવી છે. 95 ટકા બનાવતી કાપડ એજન્ટો કે બ્રોકરોના કારણે વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું સામે આવ્યું છે.

મૂળ પેઢીથી અલગ થયેલા એજન્ટ નુક્શાનરુપ 
કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે. પરંતુ જયારે પેમેન્ટ ફસાય છે, ત્યારે તેઓ નિરાકરણ લાવી શકતા નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મિલ માલિકોને જોબ ચાર્જ અંગે વિનંતી કરવામાં આવશે
વેપાર પ્રગતિ સંઘના સીએ સંજય જગનની જણાવે છે કે મિલોમાં જે ચાર્જ નક્કી કરીને માલ ઇન્વર્ડ કરાવ્યો હોય તે જ ચાર્જ લઈને ડિલિવરી આપવામાં આવશે. જોબ કરતા પહેલા વેપારીઓ સાથે ચર્ચા કરીને જોબચાર્જ નક્કી કરી લેવામાં આવશે, અને નક્કી કરેલા દિવસોમાં જ ડિલિવરી આપવા વિનંતી પત્ર આપવામાં આવશે.

માલની ડિલિવરી વખતનો ભાવ વસુલ કરાશે 
પ્રોસેસિંગ મિલન રો મટિરિયલ્સના ભાવમાં સતત વધારો થવાને લીધે રોજેરોજ નવા ભાવ આવી રહ્યા છે. તેના કારણે કાપડ માર્કેટના વેપારીઓએ પણ વેપાર કરવા માટે નવા ધારાધોરણ શરૂ કર્યા છે. તેમાં પણ માલ ખરીદનાર વેપારી જે સમયે બુકીંગ કરાવે ત્યારનો નહીં પણ ડિલિવરી લે તે સમયનો ભાવ વસુલ કરશે તેવી શરતો સાથે જ હવે માલનું બુકીંગ કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Surat : મનપાના 8 હજારથી વધુ આવાસો સામે 23 હજારથી વધારે લાભાર્થીઓએ ભર્યા ફોર્મ, ડ્રો મારફતે થશે મકાનોની ફાળવણી

આ પણ વાંચો : Surat : ડિસેમ્બરના અંત સુધીમાં ડ્રિમ સિટીના પહેલા ફેઝનું કામ પૂર્ણ થશે, વડાપ્રધાનને આવકારવા ગુજરાતનો શ્રેષ્ઠ ગેટ પણ તૈયાર કરાશે

Next Article