AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે, જુઓ Video

રાહુલ ગાંધીના વકીલની દલીલ હતી કે, વિરોધપક્ષનું કામ હોય છે સરકારનો વિરોધ કરવાનું. તેથી રાહુલ ગાંધીને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે.. 2016માં નારણ કાછડિયા સામે પણ ફરિયાદ દાખલ કરી હતી.. તે કેસમાં શા માટે સાંસદ નારણ કાછડીયા સામે કાર્યવાહી કરવામાં નહોતી આવી? તો સામે પૂર્ણેશ મોદીના વકીલે પણ દલીલ કરી.

Breaking News : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે, જુઓ Video
Rahul Gandhi Surat
| Updated on: Apr 13, 2023 | 5:44 PM
Share

રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે. આજે બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી.દલીલોના અંતે આગામી તારીખે કેસને લઈ સંભવિત જજમેન્ટ આવી શકે છે.માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુરતની કોર્ટમાં વધુ સુનાવણી આગામી 20 એપ્રિલે હાથ ધરાશે.20 એપ્રિલે સંભવિત ચૂકાદો આવે તેવી શક્યતા છે.મહત્વનું છે કે, આજે કોર્ટમાં બન્ને પક્ષોએ દલીલો કરી હતી.રાહુલ ગાંધીના વકીલની દલીલ હતી કે, વિરોધપક્ષનું કામ હોય છે સરકારનો વિરોધ કરવાનું. તેથી રાહુલ ગાંધીને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે.. 2016માં નારણ કાછડિયા સામે પણ ફરિયાદ દાખલ કરી હતી.. તે કેસમાં શા માટે સાંસદ નારણ કાછડીયા સામે કાર્યવાહી કરવામાં નહોતી આવી? તો સામે પૂર્ણેશ મોદીના વકીલે પણ દલીલ કરી.

પૂર્ણેશ મોદીના વકીલે દલીલ કરી છે કે, સાંસદ અને ધારાસભ્યો 3 પ્રકારે ગુનો કરે છે..લોકસભા, વિધાનસભામાં મારામારી કરે છે ..જાહેર સભામાં ગુનો કરે છે.. તેથી તેમને અટકાવવા જરૂરી છે.. એટલું જ નહિં અંગત જીવનમાં કોઈ પ્રહાર કરે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.. અને કાર્યવાહી થવી જોઇએ.

સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા.

સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
g clip-path="url(#clip0_868_265)">