Surat : ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પરથી દૂર થયા મંદીના વાદળો, દિવાળીથી નવરાત્રી સુધી બુકીંગ
કોરોનાના કારણે ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર જે મંદીના વાદળો ઘેરાયા હતા, તે હવે ધીરે ધીરે હટવા લાગ્યા છે. અને હવે ચાલુ વર્ષ વાહનોની ખરીદી માટે એકંદરે સારું રહ્યું છે.
કોરોનાના કારણે અત્યંત ખરાબ રીતે અસર થઇ છે તો તે ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પર હતી. પરંતુ હવે તેની પણ ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી છે. આ વર્ષે નવરાત્રી અને દિવાળી માટે અત્યારથી જ 18 હજાર વાહનોનું બુકીંગ થઇ ચૂક્યું છે.. જેમાંથી 3 હજાર જેટલા વાહનો ફોર વ્હીલ અને 15 હજાર વાહનો ટુ વ્હીલના છે. 3 હજાર જેટલા ફોર વ્હીલ વાહનોનું તો વેઇટિંગ ચાલી રહ્યું છે.
આ આંકડા 2020માં નવરાત્રી અને દિવાળીમાં વેચાયેલા વાહનોના આંકડા કરતા બમણા છે. અલગ અલગ ઓટોમોબાઇલ્સ શો રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રીમાં ઓકોટબરથી લઈને 4 નવેમ્બર સુધી 18 હજાર વાહનોનું બુકીંગ થઇ ચૂક્યું છે. જેની ડિલિવરી નવરાત્રી અને દિવાળી સુધીમાં થઇ જશે.
500 બુલેટ બાઈકનું વેઇટિંગ : પાછલા વર્ષે લોકડાઉનના કારણે ઓટો સેક્ટર ઘણી રીતે પ્રભાવિત થયું હતું. જેના કારણે નવરાત્રી અને દિવાળીની વચ્ચે ફક્ત 9 હજાર જેટલા વાહનો જ વેચાયા હતા, જેમાં 6 હજાર ટુ વ્હીલ વાહનો અને 3 હજાર ફોર વ્હીલ વાહનો હતા. 19 હજાર કારનું વેચાણ થયું હતું. પરંતુ આ વખતે કુલ 15 હજાર ટુ વ્હીલનું બુકીંગ થઇ ગયું છે. જેમાં 500 બુલેટ બાઈકનું વેઇટિંગ છે.
2019 કરતા સ્થિતિ સુધરી : 2019માં નવરાત્રિથી લઈને દિવાળી સુધી શહેરમાં 26 હજાર ટુ વહુલ વાહનો, જયારે 12 થી 15 હજાર ફોર વ્હીલ વાહનોનું બુકીંગ થતી હતી. પરંતુ કોરોના ના કારણે વર્ષ 2020 કરતા વર્ષ 2021માં આ વર્ષે સ્થિતિ સારી છે. શો રૂમમાં અત્યારસુધી ઇલેક્ટ્રિક વાહનોની બુકીંગ માટે 10 હજાર કરતા વધુ ઈન્કવાયરી આવી ચુકી છે. હજી આ વાહનો પર મળનારી સબસિડી શરૂ કરવામાં નથી આવી. જેથી લોકો હજી રાહ જોઈ રહ્યા છે. સબસીડી મળ્યા બાદ બુકિંગમાં હજી વધારો થશે.
નવરાત્રી થી દિવાળી સુધી 3 વર્ષમાં બુકીંગ વર્ષ ફોર વ્હીલ ટુ વ્હીલ 2021 3 હજાર થી 6 હજાર 15 હજાર 2020 2500 થી 3 હજાર 6 હજાર 2019 12 હજારથી 15 હજાર 26 હજાર
આમ હવે વિવિધ ઓટોમોબાઇલ શો રૂમ પાસેથી પ્રાપ્ત થયેલા આ આંકડા પરથી એટલું તો ચોક્કસ કહી શકીએ કે કોરોનાના કારણે ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર જે મંદીના વાદળો ઘેરાયા હતા, તે હવે ધીરે ધીરે હટવા લાગ્યા છે. અને હવે ચાલુ વર્ષ વાહનોની ખરીદી માટે એકંદરે સારું રહ્યું છે.
આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ
આ પણ વાંચો : Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ