Surat: મેયર સાંભળો છો? વેસુના લાભાર્થીઓ હજી સપનાના ઘર માટે સપના જ જોઈ રહ્યા છે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરના અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમાં સુમન મલ્હાર આવાસનું ખાત મુર્હૂત કર્યું હતું. જોકે આ ખાતમુહર્ત બાદ બે મુખ્યમંત્રી પણ બદલાઈ ગયાં હોવા છતાં હજુ સુધી આ આવાસોનો કબ્જો લાભાર્થીઓને મળ્યો નથી

Surat: મેયર સાંભળો છો? વેસુના લાભાર્થીઓ હજી સપનાના ઘર માટે સપના જ જોઈ રહ્યા છે
Surat: Beneficiaries of Vesu are still dreaming for a dream home
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 6:24 PM
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Surat સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે કરોડો રૂપિયાના કામો કરાવવામાં આવે છે પરંતુ કામ મળ્યા બાદ આ જ કોન્ટ્રાક્ટરો શાસકોને ગાંઠતા જ ન હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શાસકોની નબળાઈ ગણો કે મનપાના અધિકારીઓની પરંતુ આજે તેઓના કારણે પાલિકાના આવાસના (aavas ) લાભાર્થીઓ(beneficiaries ) ચાર વર્ષથી ઘર માટે રીતસર કરગરી રહ્યા છે.

વેસુ વિસ્તારમાં આવેલ સુમન મલ્હાર આવાસમાં 15 દિવસ અગાઉ લાભાર્થીઓની ફરિયાદને ધ્યાને રાખી રાઉન્ડ લીધો હતો અને મેયર હેમાલી બોઘાવાલાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી હતી પરંતુ ત્યારબાદ પણ કામગીરી હજુ ત્યાંની ત્યાં જ અટકી પડી છે જેથી લાભાર્થીઓએ આજે આવાસ પર હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરના અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમાં સુમન મલ્હાર આવાસનું ખાત મુર્હૂત કર્યું હતું. જોકે આ ખાતમુહર્ત બાદ બે મુખ્યમંત્રી પણ બદલાઈ ગયાં હોવા છતાં હજુ સુધી આ આવાસોનો કબ્જો લાભાર્થીઓને મળ્યો નથી. લાભાર્થીઓને કબ્જો ન મળવા પાછળ કોન્ટ્રાક્ટર કટીરા કંસ્ટ્રક્શન અને પાલિકાના અધિકારીઓ જવાબદાર છે. લાંબા સમય બાદ પણ અસરગ્રસ્તોને આવાસ નહીં મળતાં તેઓએ આ મામલે મેયરને ફરિયાદ કરી હતી.

જેથી 15 દિવસ અગાઉ મેયરે સ્થળ મુલાકાત કરી અઠવા ઝોન અને સ્લમ વિભાગના અધિકારીઓ સાથે કોન્ટ્રાકટરની ઝાટકણી કાઢી આ આવાસોમાં લાભાર્થીઓ ધન તેરસ પહેલાં કુંભ ઘડો મુકી શકે તેવી રીતે કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. મેયરના આદેશના બીજા જ દિવસે માત્ર દેખાડો કરવા માટે એક સાથે 60 વ્યક્તિનો સ્ટાફ મુકીને કામગીરી પણ શરૂ કરાવી દીધી હતી .પરંતુ 15 દિવસ બાદ હજુ પણ કામગીરી ત્યાંની ત્યાં જ અટકી પડી છે. જેથી આજે 400 થી વધુ લાભાર્થીઓ દ્વારા આવાસ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેઓએ ફરી મેયરને આજે સ્થળ વિઝીટ કરવા જણાવ્યું હતું પરંતુ મેયરે સ્થળ વિઝીટ ન કરતા લાભાર્થીઓ રોષે ભરાયા છે.

અધૂરા કામે રહેવા આવી જવાની લાભાર્થીઓની ચીમકી વેસુ સુમન મલ્હાર આવાસના લાભાર્થી કિશન રાઠોડે જણાવ્યું હતું કે મેયરના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી. પાંચ દિવસમાં કામ પૂર્ણ કરવા મેયરે આદેશ આપ્યો હતો પરંતુ 15 દિવસ બાદ પણ હજુ કામગીરી પૂર્ણ થઇ નથી. જેથી આજે અકળાયેલા લાભાર્થીઓએ ચીમકી આપી હતી કે આગામી તારીખ 20 નવેમ્બર સુધીમાં જો કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ અધૂરા કામે જ સામાન લઈને પરિવાર સાથે અહીં રહેવા આવી જશે.

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

આ પણ વાંચો : સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">