AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી

આવાસના રૂપિયા ચૂકવતી વખતે 50000 રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું. તેના 3 કરોડ 30 લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે. તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ આપી રહ્યા નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે.

સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી
Surat: Beneficiaries of Awas Yojana resent not to hand over houses to corporation, threat of self-extinction
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 15, 2021 | 3:16 PM
Share

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે મકાન આપવાની યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ સુરત કોર્પોરેશન દ્વારા ઈડબલ્યુએસ આવાસ માટે વર્ષ 2017 માં ડ્રો કરવામાં આવ્યો છે. જેથી જે લાભાર્થીઓને મકાન લાગ્યા હતા તેઓએ વર્ષ – 2018 સુધીમાં લોન લઈને તમામ ચુકવણી કોર્પોરેશનને કરી દીધી હતી. છતાં પણ ચાર- ચાર વર્ષ સુધી લાભાર્થીઓને મકાન સોંપવામાં આવ્યા નથી. શહેરના વેસુ સ્થિત EWS-25 મેઘમલ્હાર આવાસ ખાતે તમામ લાભાર્થીઓ એકઠા થયાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ધનતેરસના દિવસે તમે કુંભ ઘડો મુકીને રહેવા જઈ શકો છો, તેવી ખાતરી આપનાર સુરત મહાનગરપાલિકાના મેયર આજે પણ પીપલોદ રાહુલરાજ મોલની પાછળ આવેલા સુમન મલ્હાર બિલ્ડીંગના 300 પરિવારોને ઘર આપી શકયા નથી. સુમન મલ્હાર પાંચ વર્ષથી હજુ સુધી તૈયાર જ થયું નથી. 660 ફલેટ પૈકી 300 ફલેટ ધારકોને દસ્તાવેજ દ્વારા આવાસ દસ્તાવેજથી ફાળવી દેવાયા બાદ પણ કબજો નહીં આપ કા આ આવાસધારકોએ દિવાળી પહેલાં મેયર હેમાલીબેન બોઘાવાલાને રજુઆત કરતાં મેયરે ઘનતેરસ સુધી કુંભઘડોનું મુકવાનું વચન આવ્યું હતુ.પરંતુ દિવાળી પુરી થયા બાદ પણ હજુ આવાસનો કબજાની વાત તો દુર કામ પણ પુરુ થયું નથી. ત્યારે આજે આવાસ ધારકોની એક બેઠક ચંદ્રકાંત પટેલ, કિશનભાઈ રાજુભાઈ રાઠોડની આગેવાનીમાં મળી હતી,

સુરતના વેસુ વિસ્તારની અંદર સુરત કોર્પોરેશન દ્વારા EWS આવાસ માટે 2017માં ડ્રો કર્યા હતા. લાભાર્થીએ 2018 સુધીમાં લોન લઇને તમામ ચુકવણી કોર્પોરેશનને કરી દીધા બાદ પણ આજ સુધી તેમને કબજો સોંપવામાં આવ્યો નથી જેને લઇને લાભાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. આવાસનો કબજો સોંપવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા. 660 જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે. જણાવ્યું હતુ કે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. એક તરફ આવાસ માટેની જે લોન લીધી છે તેના પણ હપ્તા ભરવા પડી રહ્યા છે અને બીજી તરફ જ્યારે કબજો અમને સોંપવામાં નથી આવ્યો તેને કારણે ભાડેથી મકાન રાખીને તેનું ભાડું પણ ચૂકવવું પડી રહ્યું છે.

આવાસના રૂપિયા ચૂકવતી વખતે 50000 રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું. તેના 3 કરોડ 30 લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે. તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ આપી રહ્યા નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે. મેયર પોતે પણ જો અમને આશ્વાસન આપી ગયા બાદ પણ આવા જ લાભાર્થીઓને અપાવી ન શકતા હોય તો અમારે કોની પાસે જવું તે સમજાતું નથી. ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય તેના માટે આ પ્રકારે આવા જ બનાવવામાં આવતા હોય છે પરંતુ અમે તો બન્ને તરફ એક સરખા પીસાઈ રહ્યા છે.

થોડા દિવસો અગાઉ લાભાર્થીઓ વિરોધ નોંધાવતા શહેરના મેયર પોતે લાભાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા. સ્થાનિકોને સાંભળ્યા બાદ તેમણે વાર્ષિક રીતે વચન આપ્યું હતું કે આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધનતેરસના દિવસે આ બધાં જ કુંભઘડા તમારા પોતાના આવાસમાં મૂકી દેવા એ પ્રકારની વ્યવસ્થા થઈ જશે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને કોર્પોરેશન દ્વારા અમને કબજો સોંપવામાં આવ્યો નથી. મેયર પોતે સ્થળ પર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું. તે પણ પૂરું કરવામાં આવ્યું નથી. જેને લઇને સ્થાનિકો આત્મવિલોપન સુધીની વાત કરી રહ્યા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">