AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ

ભાજપના ચૂંટાયેલા 93 કોર્પોરેટરો માંથી ફક્ત 23 કોર્પોરેટરો જ સતત સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જયારે 70 કોર્પોરેટરો સોશિયલ મીડિયાનો પૂરતો ઉપયોગ નહીં કરતા હોવાનું સામે આવ્યું છે.

Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ
Surat: 70 BJP corporators fail to stay active on social media, only 23 corporators pass
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:04 AM
Share

જમાનો આજે સોશિયલ મીડિયાનો(Social Media ) છે. લોકો સાથે કનેક્ટ રહેવું હોય  તો તમારે સોશિયલ મીડિયાના માધ્યમ સરળ રહે છે. અને તેમાંય નેતાઓ ની વાત આવે તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. વિકાસના કામોની વાત કરવી હોય કે સત્તા પક્ષ પર પલટવાર કરવાનો હોય તમારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવું જ પડે.

સમયની સાથે હવે રાજકીય ક્ષેત્ર પણ હાઈટેક(Hitech) થઇ ગયું છે. આજે રાજ્ય લેવલથી લઈને સ્થાનિક નેતાઓ તમામ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે. અને લોકો સાથે જોડાયેલા રહેવા સતત સંપર્ક કરે છે. અને પ્રયત્નશીલ દેખાઈ રહ્યા છે. જયારે કોંગ્રેસ હજી પણ આ મામલે ખુબ પાછળ દેખાઈ રહી અચ્છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપે પોતાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકરોને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહેવા આદેશ આપ્યો હતો. જોકે મોટા ભાગના નગરસેવકો આ મામલે આળસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ભાજપના આઇટી સેલ દ્વારા તમામ નગરસેવકોને સોશિલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે પછી એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટાયેલા 93 કોર્પોરેટરો માંથી ફક્ત 23 કોર્પોરેટરો જ સતત સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જયારે 70 કોર્પોરેટરો સોશિયલ મીડિયાનો પૂરતો ઉપયોગ નહીં કરતા હોવાનું સામે આવ્યું છે.

ઘણા કોર્પોરેટરોને તો તેમાં ઝીરો માર્ક પણ મળ્યા છે. તેથી પક્ષ દ્વારા તમામ કોર્પોરેટરોને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને પ્રજા માટે થતા કામો અને સરકારની યોજનાઓ વગેરે બાબતે લોકો સુધી પહોંચાડતા રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા હવે એવું માધ્યમ છે જ્યાં લોકો સાથે આસાનીથી સંપર્કમાં રહી શકાય છે.

પોતાના વોર્ડ વિસ્તારમાં કરેલા વિકાસ કામોની વાત હોય સરકારની વિવિધ યોજનાઓ હોય કે પછી વિપક્ષ પર પલટવાર કરવાનો હોય, હવે ઓનલાઈનના આ માધ્યમથી જ લોકો સુધી પહોંચીને તેમનો વિશ્વાસ જીતી શકાય તેમ છે. આવનારા દિવસોમાં હવે વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અને તેના ભાગરૂપે જ હવે નગરસેવકોને પણ સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">