AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શંકર ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી, જેઠા ભરવાડને આપવામાં આવ્યો ઉપાધ્યક્ષનો હોદ્દો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તો ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે. તાજેતરની ચૂંટણીમાં શંકર ચૌધરીએ થરાદ બેઠકઉપરથી વિજયી રહ્યા હતા. તો જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપરથી વિજેતા રહ્યા હતા

શંકર ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી, જેઠા ભરવાડને આપવામાં આવ્યો ઉપાધ્યક્ષનો હોદ્દો
Gujarat assembly new speaker
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 1:05 PM
Share

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તો ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત ભાજપના કદાવર નેતા છે. શંકર ચૌધરી એક સહકારી આગેવાન છે. તેમજ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. બનાસકાંઠાના રાધનપુર બેઠક પરથી તેમણે વર્ષ 1997માં પ્રથમ વાર તત્કાલીન સીએમ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યારે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 2014માં તેવો રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા હતા. તો શહેરા બેઠક ઉપરથી જેઠા ભરવાડ 47, 281 વોટ પ્રાપ્ત કર્યા  હતા.

શંકર ચૌધરી છે ભાજપના દિગ્ગજ નેતા

બનાસકાંઠાના રાધનપુર બેઠક પરથી તેમણે વર્ષ 1997માં પ્રથમ વાર તત્કાલીન સીએમ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યારે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જેઠા ભરવાડ  કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા

જેઠા ભરવાડે (આહીર) વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા રહ્યા હતા . તેઓએ ચૂંટણી લડતા ભાજપના તખ્તસિંહ સોલંકીને હરાવ્યા હતા. જોકે વર્ષ 2017માં તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.  જેઠા ભરવાડે  BA સુધીનો અભ્યાસ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">