શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી

|

Nov 15, 2020 | 8:51 PM

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો […]

શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી

Follow us on

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો દિવસ એટલે આવતીકાલથી શરૂ થતાં નવા વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દર્શને ઉમટી પડ્યા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય થયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આજે દર વર્ષની જેમ ભગવાન દેવ ગદાધરને જાત જાતની વાનગી બનાવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાના અન્નકૂટના દર્શન માટે પણ ભારે ભીડ જામી અન્નકૂટમાં ખાસ ભાતનો ગોવર્ધન બનાવી વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું . નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર સજાવવામાં આવ્યો છે અને તમામ ભક્તોને ભગવાન શામળિયાના દર્શન કર્યા અને ધન્ય થયા અને હાલ પ્રવર્તમાન કોરોનાના કહેરમાંથી જલ્દી છુટકારો મળે એ માટે પણ પ્રાર્થના કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શામળાજી મંદિરના  મેનેજર કનુભાઈ પટેલ કનુભાઈ પટેલે કહ્યુ હતુ કે, આજે અન્નકુટના દર્શન હતા અને જેને લઈને ભક્તોને માટે દર્શન કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. બપોરથી ભક્તોને અન્નકુટના દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. અન્નકુટના દર્શન અને દિવાળી તેમજ નવાવર્ષના તહેવારોને લઈને પણ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે. ભક્તો પણ આ દિવસોમાં ભગવાનના આર્શીવાદ લેવા માટે મંદિરોમાં પહોંચતા હોય છે. આવી જ રીતે શામળાજી મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા. ભક્તોને સરકારની ગાઈડ લાઈન્સના પાલન સાથે મંદિરમાં દર્શન કરવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article