Somnath મંદિરના શિલ્પ કાર્યનું થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગ કરાશે, વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તૈયાર થશે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Somnath મંદિરના શિલ્પ કાર્યનું થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગ કરાશે, વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તૈયાર થશે
Scanning of Somnath temple sculptures with 3D technique virtual document will be prepared (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 2:10 PM

ગુજરાત(Gujarat) ના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના(Somnath Temple) શિલ્પનું થ્રી-ડી ટેકનિકથી(3D Technique)  સ્કેનિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગના માધ્યમથી અરબી સમુદ્રના કિનારે સ્થિત 151 ફૂટ લાંબુ સોમનાથ મંદિરની સીડી થી લઇને શિખર સુધી, દિગ્વિજય દ્વાર થી મંદિર પરિસરમાં સ્થિત 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અને સ્થંભ થી દક્ષિણ ધ્રુવ સુધી દેખાતા સમુદ્રના નજારાને પણ જોઇ શકાશે. તેમજ આ ટેકનિકથી શહીદ સ્મારકને પણ નિહાળી શકાશે.

અત્યારે માત્ર મંદિરના વિડીયો અને સીડી જ ઉપલબ્ધ છે. તેમજ મંદિરના શિલ્પ અને ઇતિહાસને ભારત સહિત સંપૂર્ણ વિશ્વમાં જોઇ શકે તે માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ હવે મંદિરની માહિતી માટે પુસ્તકના સ્થાને વર્ચ્યુઅલ જાણકારી ઉપલબ્ધ થશે. આ રીતનું સ્કેનીંગ થયા બાદ મંદિરનો ખૂણેખૂણો કોમ્પ્યુટર સ્ક્રીન પર નિહાળી શકાશે. અને ભાવિ પેઢીઓ માટે તે બાંધકામનો અધિકૃત રેકર્ડ બની રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મંદિરમાં હાલ હાઇ રિસોલ્યુશન આધુનિક ટેકનિકની મદદથી બે થ્રીડી સ્કેનરો અને કેમરાના મદદથી સ્કેનિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ડેટા સુરક્ષિત રાખવામાં આવશે.

આ ઉપરાંત આ ડેટાનો ઉપયોગ કોઇ આપદા કે અન્ય કારણોસર મંદિરમાં થયેલા નુકશાન બાદ તે સ્થાને પુન: નિર્મિત કરવામાં પણ થઈ શકશે.ઇતિહાસકારોને સંશોધન માટે પણ તે ભવિષ્યમાં ઉપયોગી  નીવડશે. તેમજ આ સચવાયેલી થ્રીડી રેકર્ડના આધારે આવું જ આબેહૂબ બાંધકામ ફરીથી બનાવી શકાશે .

સોમનાથ મહાદેવ મંદિરનું નામ કૈલાસ મહામેરૂ પ્રાસાદ પણ છે. જે પ્રભાશંકર સોમપુરા નામના દેશના પ્રસિદ્ધ શિલ્પીના માર્ગદર્શન હેઠળ 1949 થી 1951 દરમ્યાન બંધાયું છે. સોમનાથ મંદિરની કલાકૃતિ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની કલા કારીગરી બેનમૂન છે.

આ પણ વાંચો : અમદાવાદમાં જાહેર સ્થળોની મુલાકાત પૂર્વે હવે પાળવો પડશે આ નિયમ

આ પણ વાંચો : Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">