સાબરકાંઠાઃ તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ જાણે કે પરેશાની વધારી મુકી છે. જિલ્લામાં વધુ એક વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે. જોકે આ વખતે ઘટના ધોળે દિવસે ઘટી છે. તલોદના દોલતાબાદમાં તસ્કરોએ ઘરનુ તાળુ તોડીને ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની ઘટના નોંધાઈ છે.

સાબરકાંઠાઃ તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી
તલોદ પોલીસે નોંધ્યો ગુનો
Follow Us:
| Updated on: Jan 23, 2024 | 9:17 AM

સાબરકાંઠા જિલ્લામાં ઠંડીના ચમકારા સાથે જ ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન હાલમાં રામ મંદિર મહોત્સવને લઈ પોલીસ સતર્ક હોવા વચ્ચે જ તસ્કરોએ હાથ ફેરાની ઘટનાઓ અજમાવી હોવાનું સામે આવી રહ્યુ છે. હિંમતનગરમાં વેપારી અને ચાર્ટડ એકાઉન્ટના ઘરે તસ્કરો ત્રાટકવાની ઘટના બાદ હવે તલોદમાં વેપારીના ઘરે તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.

તલોદમાં જોકે તસ્કરોએ ધોળે દિવસે જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ સવારથી બપોરના અરસા દરમિયાન ઘરમાંથી ચોરી આચરી હોવાની ફરિયાદ તલોદ પોલીસ મથકે નોંધાઈ છે. ઘટના બાદ તલોદ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો ઘરમાં ઘૂસ્યા

તલોદ શહેરમાં બજારમાં રેડીમેડ કપડાની દુકાન ઘરાવતા અનિલસિંહ પ્રહલાદસિંહ સોલંકીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ અને તેમના માતા-પિતા તથા તેમની પત્નિ અને નાની બેન મળીને દહેગામ તાલુકામાં પોતાના ફોઈના ઘરે લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. સવારે 10.30 વાગે ફોઈના ઘરે લગ્નમાં જવા માટે મિત્રની કાર લઈને રવાના થયા હતા. જ્યાં લગ્નમાં હાજરી આપીને અનિલસિંહ અને તેમના પિતા પ્રહલાદસિંહ પરત ફર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

આ દરમિયાન ઘરે બપોરે સાડા ત્રણેક વાગ્યાના આસપાસ આવીને જોતા ઘરના દરવાજાને લગાવેલ તાળુ તોડેલી હાલતમાં હતુ. તેમજ ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. જેથી અનિલસિંહ અને તેમના પિતા ઘરમાં જઈને જોતા ઘરમાં સામાન વેર વિખેર પડ્યો હતો.

આ પણ વાંચો: અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

દોઢ લાખની મત્તાની ચોરી

ઘરમાં જોતા તિજોરી અને અને તેના લોકર પણ ખુલ્લા જોવા મળ્યા હતા. લોકરમાં રુપિયા 1.40 લાખ રોકડા મુકેલા હતા. તે તસ્કરો ઉઠાવી ગયા હતા. બીજી દુકાન ભાડે રાખી હોઈ તેમાં ભરવા માટે માલસામાન લાવવાનો હોઈ આ અંગે રોકડ રકમની વ્યવસ્થા કરી રાખેલ હતી. આ ઉપરાંત ચાંદીના દાગીના દશેક હજાર રુપિયાની કિંમતના હતા એ તસ્કરો ઉઠાવી ગયા હતા. આમ કુલ મળીને દોઢેક લાખ રુપિયાની મત્તા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. તલોદ પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સુધી પહોંચવા કડીઓ મેળવવી શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">