AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ

હિંમતનગર (Himmatnagar) માં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જો કે ઘટના બાદ તાત્કાલિક પોલીસ એક્શન લેવાતા હાલ આ વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. સાથે જ આ વિસ્તારના સાંસદ દિપસિંહ રાઠોડે (MP Dipsinh Rathore) શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ
Section 144 imposed in Himatnagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:54 AM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામ નવમીની (Ram Navami) શોભાયાત્રા પર હુમલાના બીજા દિવસે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર આસામાજીક તત્વોએ  પથ્થરમારો (stone pelting) કર્યો હતો. હિંમતનગરમાં RAF, SRPની 2 ટીમ અને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. રેપિડ એક્શન ફોર્સ, SRPના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો હિંમતનગરના 6 જેટલા વિસ્તારમાં 13 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ IG હાલમાં હિંમતનગર છે. આ ઉપરાંત 6 SP હિંમતનગરની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તો બીજી તરફ શોભાયાત્રા પર હુમલો કરનારા તોફાનીઓને ઝડપી પાડવા પોલીસ એક્શનમાં આવી છે. શોભાયાત્રા પર પથ્થરમારો અને દુકાન, વાહનોમાં તોડફોડ કરનારા ટોળા સામે ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. પોલીસ જવાનોએ તોફાનીઓએ ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. હિંમતનગરની ખાનગી અને સરકારી શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

હિંમતનગરમાં જૂથ અથડામણના બીજા દિવસે રસ્તાઓ પર સામાન્ય અવર-જવર જોવા મળી રહી છે. હિંમતનગરના બજારો અને દુકાનો બંધ છે. તો RAF, SRP અને સ્થાનિક પોલીસના જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. હિંમતનગરના રામજી મંદિર વિસ્તારમાં પણ એસઆરપીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો પોલીસ તમામ ધર્મના આગેવાનોને સાથે રાખીને સૌને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે.

સાબરકાંઠાના છાપરિયા વિસ્તારમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ આમને-સામને આવીને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી. તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ કર હતી, સાથે જ દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી. આ અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

બનાવની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના 150થી વધુ સેલ છોડ્યા હતા. પોલીસનો આટલો સઘન બંદોબસ્ત હોવા છતા સામસામે પથ્થરમારાની ઘટના ઘટી હતી. મળતી માહિતી પ્રમાણે આ પથ્થરમારો આયોજનબદ્ધ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાં પહોંચતા અચાનક પથ્થરમારો થયો હતો. શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તણાવપૂર્ણ સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાએ કહ્યું, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">