AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને વડાલી સહિતના અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનુ વાવેતર થતુ હોય છે. ઈડરના સાબલવાડ વિસ્તારમાંથી ટામેટાં પાકિસ્તાન થઈને અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ગુણવત્તાસભર ટામેટાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આ તમામ ખેડૂતોને માટે હાલમાં કપરા દિવસો સમાન દિવસો પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

Sabarkantha: ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે
ટામેટા 2 રુપિયા કિલો વેચાતા ખેડૂતો પરેશાન
| Updated on: Oct 03, 2023 | 5:05 PM
Share

હજુ થોડાક સમય અગાઉ જ ટામેટાના ભાવે ગૃહિણીઓને પરેશાન કરી દીધા હતા. હવે આ જ ટામેટાથી ખેડૂતો પરેશાન બની ગયા છે. ટામેટાના ભાવ હાલમાં તળીયે હોવાને લઈ હવે ખેડૂતોને વાવેતર ખર્ચ પણ નિકાળવો મુશ્કેલ થઈ રહ્યો છે. ટામેટા હાલમા માંડ 2 રુપિયાએ કિલો વેચાઈ રહ્યા છે. જેને લઈ હવે ટામેટા ઉત્પાદન કરનારા ખેડૂતોને માટે મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: જીવનસાથી શોધવા જતા છેતરપિંડીનો ભોગ બની બેંક મેનેજર યુવતી, ઠગ યુવક સામે નોંધાઈ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને વડાલી સહિતના અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનુ વાવેતર થતુ હોય છે. ઈડરના સાબલવાડ વિસ્તારમાંથી ટામેટાં પાકિસ્તાન થઈને અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ગુણવત્તાસભર ટામેટાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આ તમામ ખેડૂતોને માટે હાલમાં કપરા દિવસો સમાન દિવસો પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

200 ના કિલો ટામેટા 2 રુપિયાના ભાવે

થોડાક દિવસો અગાઉ જ જે ટામેટા 200 રુપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. એ જ ટામેટા હવે માત્ર 2 રુપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેને લઈ હવે ખેડૂતોની સ્થિતિ વિકટ બની ગઈ છે. ટામેટાનો ભાવ પ્રતિકિલો 2 રુપિયાની આસપાસ થવાને લઈ ખેડૂતોએ મોટા નુક્સાન સાથે બજારમાં વેચાણ કરવુ પડી રહ્યુ છે. બજારમાં ટામેટાને પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો હોવાનો રોષ હિંમતનગરના નવાનગર વિસ્તારના ખેડૂતો ધર્મેશ પટેલ અને નિલેશ પટેલ નિકાળી રહ્યા છે.

નવાનગર વિસ્તારના અગ્રણી ખેડૂત મહેશ પટેલે કહ્યુ હતુ કે, વિસ્તારમાં 200 વીઘા કરતા વધારે જમીનમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે. એક વીધામાં ટામેટાની ખેતી કરવાનો ખર્ચ 1 લાખ રુપિયા જેટલો થતો હોય છે. આમ એક લાખ ખર્ચ કર્યા બાદ હવે ઉત્પાદન તો નજર લાગે એવુ ગુણવત્તાસભર થઈ રહ્યુ છે, પરંતુ પાકની હાલમાં કોઈ જ કિંમત નથી. ખેડૂત રોષ દાખવતા કહી રહ્યા છે કે, અમે 300 રુપિયા શ્રમિક દીઠ ટામેટાને પાકને છોડ પરથી ઉતારવાની ચૂકવીએ છે. આમ આ મજૂરી ખર્ચ પણ હાલમાં નિકળી રહ્યો નથી.

ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નથી નિકળી રહ્યો

આગળ વાત કરતા સ્થાનિક ખેડૂત જણાવી રહ્યા છે કે, હાલમાં જે ભાવ ટામેટાનો બજારમાં મળી રહ્યો છે, એ ખર્ચ સામે ખૂબ જ નુક્સાન ભર્યો છે. ખેતરથી બજારમાં ટામેટા વેચવા જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ પ્રતિ મણ દીઠ પાંચ થી 20 રુપિયા મળી રહ્યો છે. આમ આવી સ્થિતિમાં ટામેટા બજારમાં વેચવા જવા કરતા પશુઓને ખવરાવી દેવા મજબૂર કરી દઈ રહ્યા છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">