Sabardary: આજથી દુધના ભાવમાં વધારો, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને માટે સાબરડેરી દ્વારા આજથી રાહત

સાબરડેરી (Sabardary) દ્વારા માર્ચ માસથી આજ સુધીમાં ત્રીજીવાર ભાવ વધારો કર્યો છે. નવો ભાવ 11 મે થી લાગુ કરવાનો નિર્ણય ચેરમેન દ્વારા લેવાયો હતો. આમ પશુપાલકો માટે રાહતના સમાચાર છે.

Sabardary: આજથી દુધના ભાવમાં વધારો, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને માટે સાબરડેરી દ્વારા આજથી રાહત
Sabardary: દ્વારા બે માસમાં 30 રુપિયાનો કિલો ફેટે વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 10:10 AM

અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પશુપાલકોને આજથી દુધ ઉત્પાદન પર નવા ભાવ મળશે. સાબરડેરી દ્વારા છેલ્લા 2 માસના ટુંકા ગાળામાં જ ત્રણવાર ભાવ વધારો કર્યો છે. વધતા જતા પશુપાલનના માવજતના ખર્ચની સામે સાબરડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબરડેરી (Sabardary) એ બે દિવસ પહેલા આ અંગેની જાણકારી આપ્યા બાદ આજે 11 મેથી નવા ભાવ લાગુ કરાનારા છે. આમ પશુપાલકો માટે હાલના દિવસોમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. એટલે કે આગામી પગાર નવા ભાવ સાથેનો પશુપાલકોને મળશે.

સાબરડેરી દ્વારા પશુપાલકો-ખેડૂતોને લઈને પશુપાલનના વ્યવસાયમાં થતા ખર્ચ અને તેની માવજતને લઈને સમિક્ષા કરવામાં આવતી હોય છે. ડેરીના ચેરમેન અને ડીરેકટરોના દ્વારા સમિક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકોને હાલની સ્થિતીમાં વધુ એક વખત ભાવ વધારો આપવા માટે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે બે માસમાં ત્રીજી વાર છે. આમ પશુપાલકોને રાહત પહોંચી છે. આમ હવે ઘાસચારા અને પશુ નિભાવ ખર્ચમાં દુધના ભાવનુ વધુ વળતર મળી રહેશે.

આમ પણ સાબરડેરી રાજ્યની અન્ય ડેરીના પ્રમાણમાં સૌથી વધુ પોષણક્ષમ ભાવો આપવા માટે પ્રયાસ કરે છે, અને એ પ્રમાણે ભાવોમાં વધારો પણ જાહેર કરી રહેલ છે. સાબર઼ેરીના 3 લાખ થી વધુ દુધ ઉત્પાદકોને નવા ભાવ વધારાનો સિધો લાભ મળશે અને નવો પગાર પણ નવા ભાવ વધારાની અસર સાથે મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પ્રમાણે રહેશે નવો ભાવ

ગત માર્ચ માસથી મે માસ સુધીમાં સાબરડેરી દ્વારા પશુપાલકોને દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રુપિયા જેટલો વધારી આપ્યો છે. જેમાં આજે બુધવાર 11 મે થી પશુપાલકોને નવા ભાવ વધારો આ મુજબ મળશે. જેમાં ભેસના દુધમાં 10 રુપિયા અને ગાયના દુધમાં સમતુલ્ય કિલો ફેટે 6.90 રુપિયા વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે નવા ભાવ મુજબ ભેંસના દુધના નવા ભાવ પ્રતિકિલો ફેટે 740 રુપિયા અને ગાયના દુધના સમતુલ્ય કિલો ફેટે 320.50 રુપિયા પ્રમાણે ચુકવવામાં આવશે.

સાબરડેરી અમુલ (Amul) બ્રાન્ડની દુધની બનાવટો બનાવે છે. જેમાં દુધનો પાવડર, દુધ, છાસ, બટર તેમજ ચોકલેટ અને શ્રીખંડ સહિતના બનાવટો બનાવે છે. ઉપરાંત સાબરડેરી દ્વારા દિલ્હી અને હૈદરાબાદ સહિતના બહારના શહેરોને પણ દુધનો જથ્થો પુરો પાડે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">